SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ 20 : શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. સ્વભાવ પ્રમાણે રાજાના મસ્તકપર વિષ્ટા કરીને ઉડી ગયે, અને હંસ તે ત્યાંજ બેસી રહે. એવામાં એક રાજપુરૂષે બાણ માર્યું, એટલે હંસ નીચે પડ્યો. તેને જમીન પર પડેલ જેઈને સપરિચ્છદ રાજા બે કે-“અહો આશ્ચર્યની વાત છે કે આ હંસ જે કાગડે લાગે છે. આ જનાલાપ સાંભળીને કંઠે પ્રાણુ આવેલા હતા છતાં પોતાની જાતિનું દૂષણ નિવારવા માટે હંસે રાજાને કહ્યું કે - ' " ના ઘા મારગ, લોડÉ વિમરું રહે છે. - નવરંગપરબેન, પૃત્યુમુવે ન સંરાયઃ” | “હે રાજન ! હું કાગડે નથી, પણ નિર્મળ જળમાં રહેનાર હંસ છું, પરંતુ નીચની સાથે સોબત કરવાથી અવશ્ય મૃત્યુ પ્રાપ્ત થાયજ છે, અથૉત્ મેં કાગડાની સોબત કરી તેનું આ ફળ મને મળ્યું છે.” આ પ્રમાણેનાં તેનાં વચન સાંભળીને તે દિવસથી દયાયુકત મનવાળા થયેલા રાજાએ નીચની સંગત છેડી દીધી. એટલા માટે છે પ્રિયતમ! હું આપને પુનઃ પુન: વારું છું. સુજ્ઞજનો સ્ત્રીઓનું પણ સાનુકૂળ વચન તે માને જ છે. પથિક અને ડાબી બાજુએ રહેલ દુર્ગા (ચકલી) ની પણ શું પ્રશંસા કરતા નથી ? આ પ્રમાણેનાં પોતાની વનિતાનાં વચન સાંભળીને કુમાર ચિત્તમાં ચમત્કાર પામે; તથાપિ કયલાની સાથે કપૂરની પ્રીતિની જેમ તેણે તે અધમની સેબત મૂકી નહિ. હવે કેટલેક કાળ ગયા પછી એકદા રાજાએ એકાંતમાં બોલાવી સજજનને પૂછયું કે:અરે! સજન! કુમારની અને તારી આવી અન્ય મિત્રાઈ શાથી થઈ? કુમારને દેશ ? જાતિ કઈ? માતાપિતા કેણુ? તું કેણુ અને કયાંથી આવ્યો છે?” એટલે સજ્જને વિચાર્યું કે –“કુમાર કેઈ વખત મારા પૂર્વના અકાર્યને સંભારીને મને ઉપદ્રવ કરશે, તેથી અત્યારે તેનું ઔષધ કરવાનો વખત છે.” એમ વિચારીને તેણે રાજાને કહ્યું કે–“હે સ્વામિન! જે પૂછવા P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036466
Book TitleParshwanatha Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvir Gani, Parmananddas Ratanji Sheth
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1919
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size275 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy