SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ AAAAA શ્રી વયરસેને કથા. - 363 મારવા લાગ્યું, એટલે તે બરાડા પાડવા લાગી, તે જોઈને લેકે હસવા લાગ્યા કે–અહા ! બંને સૈન્ય બહુ સારાં શેભે છે. રાજા ગજારૂઢ અને ધૂર્ત ખરારૂઢ કે શોભે છે? ”એવામાં ગધેડીને માર મારતો વયરસેન રાજાની આગળ આવે એટલે તેને રાજાએ ઓળખે, તેથી હાથીપરથી તરતજ નીચે ઉતરીને રાજાએ તેને આલિંગન કર્યું અને બોલ્યો કે-“હે વત્સ ! આવું અનુચિત કેમ આરંભ્ય છે?” એટલે વયરસેને બધો વૃત્તાંત જણાવ્યું અને ગધેડીને એક વૃક્ષના થડ સાથે બાંધીને તેણે ગજરૂઢ થઈને રાજાની સાથે નગરમાં પ્રવેશ કર્યો. પછી લેકે તે અને તથાવિધ સ્થિતિમાં જોઈને કહેવા લાગ્યા કે– " अतिलोभो न कर्त्तव्यो, लोभं नैव परित्यजेत् / _ अतिलोभाभिभूतात्मा, कुट्टिनी रासभीकृता" // અતિ લેભ ન કરે, તેમ બિલકુલ લેભ તજી પણ ન દે. પરંતુ જુઓ! અતિભથી આ અક્કા ગધેડી થઈને પરાભવ પામી.” પછી રાજાના બહુ આગ્રહથી વયરસેને અક્કાને બીજું પુષ્પ સુંઘાડીને માનુષી કરી, અને તેની પાસેથી પાદુકા લઈને તેને છેડી મૂકી. રાજાએ વયરસેનને પોતાના યુવરાજપદ પર સ્થાપે, એટલે તે બંને ઇંદ્ર અને ઉપેદ્રની જેવા શોભવા લાગ્યા. પછી તેમણે પોતાના પિતાને ત્યાં બોલાવીને કહ્યું કે –“હે તાત! અહીં સુખે રહે, અને આ રાજ્ય ભોગવો, તથા અમને આજ્ઞા કરે.” પછી તેઓ અપર માતાને પણ પગે પડ્યા અને કહ્યું કે-આ રાજ્ય અમને તમારા પ્રસાદથી જ પ્રાપ્ત થયું છે.” એમ કહીને અપર માતાને પણ સત્કાર કર્યો. અને મનને મેલ દૂર કરાવ્યું. પેલા માતંગને પણ તેની જાતિમાં મુખ્ય અધિકારી (મહેતર) બનાવ્યું. એ પ્રમાણે તે બંને કુમાર પોતાના કુટુંબ સહિત રાજ્યસુખ ભેગવવા લાગ્યા. એકદા તે બંને ગવાક્ષમાં બેસીને નગરની શોભા નેતા હતા, 40 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036466
Book TitleParshwanatha Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvir Gani, Parmananddas Ratanji Sheth
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1919
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size275 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy