SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ વયરસેનની કથા. ઉ૭ વસ્તુઓ આપી છે. અમે તે સિદ્ધ પુરૂષને છેતરીને અને મારી નાખીને આ વસ્તુઓ લઈ આ શૂન્ય દેવકુલમાં આવ્યા છીએ. આ કંથા " (ગોદડી) ને ખંખેરતાં પ્રતિદિન તેમાંથી પાંચસે સેનામફેર પડે છે, દંડના પ્રભાવથી સંગ્રામમાં જય થાય છે, અને બંને પાદુકા પર પગ મૂકતાં આકાશમાગે ઉડી ચિંતિત સ્થાને જઈ શકાય છે. તે સાંભળી કુમાર હર્ષિત થઈને બેલ્યો કે “તમારે અધીરાઈ ન કરવી, હું હમણાજ તમારે વિવાદ પતાવી દઉં છું. પ્રથમ તમે ચારે દિશામાં એક ક્ષણભર દૂર જઈને બેસો. જ્યારે વિચાર કરીને હું લાવું ત્યારે તમે મારી પાસે આવજે.” એટલે તે તસ્કરોએ તેમ કર્યું. પછી કુમાર સ્કંધ પર કંથા બાંધી, હાથમાં દંડ લઈ અને પાદુકા પગમાં પહેરીને નગરમાં ચાલ્યા ગયે. થોડા વખત પછી ચેરો ત્યાં આવી તેને ન જેવાથી વિલક્ષ થઈ પિતાપિતાને સ્થાને ચાલ્યા ગયા. “ભાગ્યવંત પુરૂષોને સર્વત્ર સંપત્તિ મળે છે.” હવે વયરસેન એક વિશ્વાસપાત્ર મિત્રને ઘરે વસ્તુઓ ગોપવિીને નગરમાં આનંદથી ફરવા લાગ્યું. પ્રતિદિન કંથા ખંખેરીને પાંચસે સોનામહોરથી દિવ્ય વસ્ત્રાદિકની સામગ્રી મેળવી ધૂતકાર સાથે ક્રીડા અને ગીતગાન તથા દાન કરવા લાગ્યો. પુષ્કળ દ્રવ્ય ખરચી ગંદુક દેવની જેમ તે કર્લોલ કરવા લાગે. એવામાં પોતાની દાસીના મુખથી તે કુમારની તથાવિધ હકીકત સાંભળીને અક્કા પિતાની પુત્રી મગધાને *વેત વેષ પહેરાવી સાથે લઈને કુમારની પાસે આવી કહેવા લાગી કે –“હે વત્સ! તને કામને લીધે બહાર મોકલ્યા, તે પછી આપણા ઘરે પાછ કેમ ન આ ? તું ગમે તે દિવસથી મારી મગધા પુત્રી રોષ લાવી મારી સાથે બોલતી પણ નથી અને તારા વિયોગથી ભેજન તથા સ્નાન વિલેપનાદિક પણ કરતી નથી. માત્ર 49ત વેષથી મહાકટ્ટે અંદગી ગાળે છે અને તું આવી રીતે કર્લોલ કરે છે. હવે વધારે શું કહેવું? તને ઉચિત લાગે તેમ કર.” આ પ્રમાણે તેનું માયાકપટ ભરેલું વચન સાંભળીને રાજકુમાર વિચારવા લાગ્યા કે આ ઈંડા ફરીને મારી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036466
Book TitleParshwanatha Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvir Gani, Parmananddas Ratanji Sheth
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1919
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size275 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy