SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ 306 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. યેલા, પ્રતિબંધ પામેલા અને સુધાથી ગ્લાનિ પામેલા એવા સપના મુખમાં કંડીયામાં વિવર કરીને એક ઉંદર સ્વયમેવ પડ્યો, તેના માંસથી તૃપ્ત થઈને તે સર્ષ તેજ માગે સત્વર બહાર નીકળી ગયે માટે વૃદ્ધિ કે ક્ષયમાં આકુળ ન થતાં દેવનું જ શરણ લઈને સ્વસ્થ રહેવું.” આ પ્રમાણે વિચારમાં આખો દિવસ ગાળી વિલક્ષ મુખવડે ભમતાં સંધ્યા વખતે શૂન્ય મનથી નગરની બહાર નીકળી ગયે. ત્યાં સ્મશાનમાં એક શૂન્ય ખંડેરમાં રાત રહ્યો, કે જ્યાં ઘૂવડ પિકાર કરતા હતા, શગાલ બરાડા પાડતા હતા, ધાપ છાએ કીડા કરતા હતા અને રાક્ષસે તથા વેતાળો અટ્ટહાસ્ય કરીને રમતા હતા. એવા સ્મશાનમાં તે નિર્ભય થઈને રહ્યો; કેમકે “વા શું ઘણુના ઘાતથી ભેદાય? નજ ભેદાય.” વયરસેન ત્યાં નિદ્રારહિતપણે આખી રાત બેસી જ રહ્યો. કારણકે-“ઉદ્યમ કરતાં દરિદ્રતા જાય છે, જાપ જપતાં પાતક જાય છે, માન રહેવાથી કલહ જાય છે અને જાગરણથી ભય દૂર થાય છે.” મધ્ય રાત્રે ત્યાં ચાર ચોર આવ્યા. તે કઈક વસ્તુ વહેંચવા માટે પરસ્પર વિવાદ કરતા હતા એટલે કુમારે તેમને ચારસંજ્ઞા કરી, તેથી તસ્કરોએ તેને ચેર સમજીને પોતાની પાસે બેલા, એટલે તે પાસે આવીને તેમની સામે બેઠે; અને બોલ્યા કે—હે બાંધવો! તમે શા માટે વિવાદ કરે છે?” ચારે બોલ્યા કે-“હે બાંધવ! વિવાદનું કારણ સાંભળ-પાદુકા, દંડ અને કંથા એ ત્રણ વસ્તુઓ અમે મેળવી છે અને અમે ચાર જણ છીએ. તેથી વેંચવામાં વધે આવે છે, કેમકે તે વસ્તુનો વિભાગ પણ કરી શકાય તેમ નથી.” એટલે કુમાર બે કે-“અસાર વસ્તુને માટે આટલો બધો વાદ શ?” તેઓ બોલ્યા કે–અરે! તું મુગ્ધ છે. તને ખબર નથી. આ ત્રણે તે અમૂલ્ય વસ્તુ છે.” કુમાર બે કે-“શી રીતે અને મૂલ્ય છે તે કહે.” એટલે તેમાંથી એક ચેર બેલ્યો કે- હે બંધ ! સાંભળ–આ સ્મશાનમાં કોઈ સિદ્ધ પુરૂષ મહાવિદ્યા સાધતું હતું, તેને તે વિલા છ મહિને સિદ્ધ થઈ. તે વિદ્યાની અધિષ્ઠાયિકાએ આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036466
Book TitleParshwanatha Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvir Gani, Parmananddas Ratanji Sheth
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1919
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size275 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy