SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ non 300 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. માણેના તેના અસત્ય વચનથી પુત્રે પર બહુ રૂષ્ટમાન થયા અને ચિં. તવવા લાગ્યો કે “દુષ્ટ, ધૃષ્ટ અને પાપિષ્ટ બંને પુત્રને મારી નાંખું પછી ચંડ નામના માતંગને બોલાવીને રાજાએ હુકમ કર્યો કે હે ચંડ! ગામની બહાર રમતા એવા બને પુત્રના મસ્તક કાપીને લઈ આવ.” માતંગે વિચાર કર્યો કે- બહુ ગુણવંત એવા આ કુમારે ઉપર રાજાને આવો અતિશય કેપ કેમ થયે તેની ખબર પડતી નથી, તેથી અત્યારે તે પ્રસ્તાચિતજ બોલું.' એમ વિચારી તેણે કહ્યું કે- જેવી આપની આજ્ઞા.” પછી તેણે કુમારે પાસે જઈને બધી વાત કહી સંભળાવી; એટલે તેમણે કહ્યું કે “હે ભદ્ર! પિતાનું સમીહિત સત્વર કર.” માતંગે સગદગદ પ્રાર્થના કરી કે–આપ બંને મારી ઉપર પ્રસન્ન થઈ સત્વર દેશાંતર ચાલ્યા જાઓ.” એટલે કુમારે બોલ્યા કે– રાજા સકુટુંબ તને મારી નાખશે.” માતંગ બેલ્યો કે–“હું કઈ પણ ઉપાયથી મારે બચાવ કરીશ, પણ તમે વિલંબ ન કરે.” એમ કહેવાથી તે બંને રાજપુત્ર વાહન વિના પગે ચાલતા એક દિશા તરફ રવાને થયા, અને માતંગ પણ માટીના બે શિર બનાવી લાખના રંગથી રંગી સાંજને વખતે રાજા પાસે ગયો અને પ્રથમ રાજપુત્રના બે અ*ો સેંપી દૂરથી મસ્તક બતાવીને બેલ્યો કે-“હે સ્વામિન ! આપના હુકમ પ્રમાણે કર્યું છે.' રાજાએ કહ્યું કે-એ બને શિર ગામની બહાર ખાડામાં નાંખી દે.” માતંગ બોલ્યા કે-“આપની આજ્ઞા પ્રમાણે કરીશ,” એમ કહીને તે તે પિતાને ઘરે ગયે. પેલી દુષ્ટ રાણું સંતુષ્ટ થઈને અત્યંત હર્ષિત થઈ સતી ચિંતવવા લાગી કે-રાજાએ બંનેને મરાવી નાખ્યા તે બહુ સારું કર્યું.” હવે સાહસિક એવા તે બંને રાજપુત્ર અવિચ્છિન્ન પ્રયાણ કરતાં કેટલેક દિવસે એક મોટી અટવામાં આવી પહોંચ્યા કે જ્યાં એક બાજુ શાલ, હિંતાલ, પ્રિયાલ અને સરલ વૃક્ષે અને બીજી બાજુ નાગ, પુન્નાગ, લવિંગ, અગરૂ અને ચંદનવૃક્ષે, એક બાજુ ચિંચા, આમ્ર, જંબીર, કપિથ અને અશ્વસ્થ અને બીજી બાજુ બકુલ, કં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036466
Book TitleParshwanatha Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvir Gani, Parmananddas Ratanji Sheth
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1919
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size275 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy