SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ 203 જિન જન્મોત્સવ. ઇંદ્ર પૂર્વાભિમુખ બેઠે, તે વખતે બીજા પણ ત્રેસઠ ઈદ્ર અવધિજ્ઞાનથી જિન જન્મ જાણીને મહદ્ધિપૂર્વક ત્યાં આવ્યા. દશ વૈમાનિકના, વિશ ભુવનાધિપના, સૂર્ય અને ચંદ્ર એ બે જ્યોતિષ્કના અને બત્રીશ વ્યંતરના–એમ ચોસઠ ઇંદ્રો ત્યાં એકત્ર થયા. પછી સુવર્ણના, રજત (રૂપા) ના, રત્નના, સુવર્ણ અને રત્ન ના, સુવર્ણ અને રૂપાના, રજત અને રત્નના, સુવર્ણ રજત અને રત્નના તથા માટીના-એમ આઠ જાતિના પ્રત્યેકે એક હજાર ને આઠ કળશ તૈયાર કર્યા. તે પચીશ એજન ઉંચા બાર યોજન વિસ્તૃત અને એક જન પ્રમાણે નાળવાવાળા હતા. એવા એકંદર એક કરોડ અને સાઠ લાખ કળશ તૈયાર કર્યા. પછી તે બધા કળશે ક્ષીરસમુદ્રના જળથી ભરીને અશ્રુતાદિ દેવેદ્રોએ વિધિપૂર્વક જિનને અને ભિષેક કર્યો અને પારિજાતક પુષ્પાદિથી પ્રભુની અર્ચા કરી. પછી કેટલાક દે સ્તુતિ કરવા લાગ્યા, કેટલાક હર્ષિત થઈને નૃત્ય કરવા લાગ્યા, કેટલાક ગાંધાર, બંગાલ, કૅશિક, હિંડેલ, દીપક, વસંત, માદંશ, ચારૂ, ધરણ, સહાગ, અધરાસ, ભાણવલ્લી અને કુકુંભ ઇત્યાદિ દિવ્ય દેવરાગોથી ગીત ગાન કરવા લાગ્યા, કેટલાક છપન કેટિ તાલના ભેદથી દિવ્ય નાટક કરવા લાગ્યા, કેટલાક તત, વિતત, ઘન અને સુષિર એ ચાર પ્રકારના વાઘથી કૈતુક પૂરવા લાગ્યા, કેટલાક કૌતુકથી ઘોષ કરવા લાગ્યા અને કેટલાક મધુર સ્વરથી ભાવના ભાવવા લાગ્યા. પછી તે કળશે ત્યાંજ અંતભૂત થઈ ગયા (અદશ્ય થઈ ગયા). પછી પ્રભુને ઇશાનંદ્રના ઉત્સવમાં સ્થાપીને સૈધમે ચાર વૃષભનાં રૂપ વિકુવી તેના આઠ ઇંગમાંથી નીકળતા જળથી પ્રભુને હવરાવ્યા, અને દિવ્ય વસ્ત્રથી પ્રભુના અંગને સાફ કરી લઉં છી), 1 આઠે જાતિના આઠ આઠ હજાર એટલે 64 હજાર–એટલા કળશવડે એક અભિષેક-એવા 250 અભિષેક થાય છે. તે સર્વના એકંદર ગણતાં એક કોડ ને સાઠ લાખની સંખ્યા થાય છે. દરેક જાતિના 1008 કે 8000 તે મતાંતર જણાય છે. ધાર, બંગલા કેટલાક હાજર અર્ચા કરી. શ, ચાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036466
Book TitleParshwanatha Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvir Gani, Parmananddas Ratanji Sheth
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1919
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size275 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy