SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. ૨માં ભમે છે. માટે કેવળ સમ્યકૃત્વને જ અંગીકાર કરવું. કારણ કે - જેમણે માત્ર અંતર્મુહૂર્ત સમ્યકત્વની સ્પર્શના કરી હોય છે તેને મને અર્ધ પુદ્ગલપરાવર્તે માત્ર સંસાર રહે છે. વળી કોડ ભવમાં દુપ્રાપ્ય એવી નૃભવાદિ સમસ્ત સામગ્રી મેળવીને સંસારસાગરમાં નાવ સમાન એવા ધર્મના આરાધનામાં સદા યત્ન કરે.” તેમજ “ધર્મને અવસર પામીને વધારે વિસ્તારથી તે કરવાને માટે પણ વિવેકી પુરૂષે વિલંબ ન કરે, કારણ કે વિલંબ કરવાથી રાત્રિ વ્યતીત થયા પછી બાહુબલિ ભગવંતના દર્શન પામી શક્યા નહીં.” હે મહાનુભાવો ! આ અસાર સંસારમાં એક ધર્મજ સાર છે, માટે ધર્મની જ આરાધના કરવી.” આ પ્રમાણે એકાગ્ર મનથી જિનેશ્વરના વચનામૃતનું પાન કરતાં અને શુભ અવ્યવસાયથી ઈહાપોહ કરતાં ચકવર્તિને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, એટલે પૂર્વે આરાધેલ ચારિત્રનું સ્મરણ થયું અને વૈરાગ્ય ઉત્પન્ન થયે; એટલે હવે રાજ્યથી મારે સર્યું, હવે તો મોક્ષને માટે જ હું યત્ન કરીશ.” એમ નિશ્ચય કરીને તેણે પંચ મુષ્ટિ લોન્ચ કર્યો અને જગન્નાથ પાસે દીક્ષા અંગીકાર કરી. પછી નિરતિચાર ચારિત્ર પાળતાં તપ તપતાં અને અગ્યાર અંગ ભણતાં તે અનુક્રમે ગીતાર્થ થયા. તે બાવીશ પરીષહ સહન કરવા લાગ્યા, અને શ્રી જિનેશ્વરની અનુજ્ઞા લઈને અનુક્રમે એકાકી વિહાર કરવા લાગ્યા. તેમજ ધર્મધ્યાનમાં લીન થઈને કર્મને ક્ષય કરવા લાગ્યા. પછી કેટલાક દિવસે જતાં તેમણે આ પ્રમાણે વિશસ્થાનકની આ રાધના શરૂ કરી: 'અરિહંત, સિદ્ધ, પ્રવચન, ગુરૂ, સ્થવિર, બહુશ્રુત, તપસ્વી, એ સાતની ભક્તિ કરવી, “વારંવાર જ્ઞાનને અભ્યાસ કરે, દર્શન, ૧°વિનય, આવશ્યક,બ્રા, ક્રિયા,"લવતપ, પાન, દયાવચ્ચ, સમાધિ, “અપૂર્વજ્ઞાન-ગ્રહણ સૂત્રભ-. ક્તિ અને પ્રવચનની પ્રભાવના–એ વીશ સ્થાનના આરાધનથી જીવ તીર્થકરપણાને પામે છે. એ વિશે સ્થાન તેમણે આરાધ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradeak Trust
SR No.036466
Book TitleParshwanatha Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvir Gani, Parmananddas Ratanji Sheth
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1919
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size275 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy