SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ મહાબળની કથા. . 101 વિચાર કરીને તે નગરની નજીકના કેઈ ગામની પાસે વનમાં એક નદીને કાંઠે કઈ તાપસ પાસે તાપસી દીક્ષા લઈને તપ તપવા લાગ્યા. તેને ગુરૂ મરણ પામતાં તેજ મઠમાં રહીને તે તીવ્ર અજ્ઞાનતપ કરવા લાગ્યો. તેમ કરતાં તેને ઘણા વર્ષો વ્યતીત થઈ ગયા. ' અન્યદા કોઈક ચાર રાત્રે રાજભવનમાંથી રાજાની રત્નની પેટીઓ લઈને ભાગ્યો. તેની પાછળ રાજપુરૂષ પડયા એટલે તેના ભયથી પ્રેરાઈને ભયાકુળપણે ભાગતાં તે ચાર જ્યાં પેલો તાપસ થયેલ ચેર રહે છે તે ઉપવનમાં પેઠે, અને તે તાપસ થયેલા ચેરની પાસે પેલી પેટી મૂકીને દૂર ભાગી ગયે. પેલો તાપસ આભૂષણની પેટી જે પ્રમુદિત થઈને મનમાં કહેવા લાગ્યું કે અહા ! મારા તપના પ્રભાવથી દૈવે મને રત્નાભરણની પેટી આપી. તપના પ્રભાવથી મનુષ્યને શું શું નથી મળતું?” એમ બેલતે જેટલામાં વિષકન્યાની જેમ હાથથી તે પેટીને સ્પર્શ કરે છે તેટલામાં પ્રચંડ રાજપુરૂષોએ તે તાપસને ઘેરી લીધા. “અરે! પાપિષ્ટ ! દુષ્ટ ! તાપસના વેષથી આખા શ્રીપુરને લુંટયું અને અરે મૂર્ખ ! અત્યારે રાજવસ્તુની પણ ચેરી કરી.” એમ કહી લાકડી અને મુષ્ટિ વિગેરેથી સષ્ઠ માર મારી ગાઢ બંધને બાંધીને તેઓ તેને શ્રીપુર નગર તરફ લઈ ચાલ્યા. એટલે ચેર-તાપસ અંતરમાં વિચારવા લાગ્યા કે - “પેલા દેવતાએ પૂર્વે જે મારૂં મરણ કહ્યું હતું તે અત્યારે ઉપસ્થિત થયું.” એમ મનમાં ચિંતવીને તે પ્રગટ રીતે આ *ક બે - " તે નૈવ મૂપાને વૈને જ યાના ___ नीयते वटशाखायां, कर्मणाऽसो महाबलः " // પોતાના કર્મ આ મહાબલને વટશાખાપર લઈ જાય છે, તેનું રક્ષણ કરવાને રાજા, દેવ કે દાનવ કઈ સમર્થ નથી.” આ લેક સાંભળીને પેલા ક્રુર રાજપુરૂષે બોલ્યા કે ગળેથી પકડેલા બકરાની જેમ તું વારંવાર શું બડબડ કરે છે?” તેને જવાબ આપ્યા વિના તે તાપસ તે વારંવાર તેજ &લેક બોલતે હતે. પછી રાજપુરૂષોએ તેને રાજાને હવાલે કર્યો અને પેટી પણ રજુ કરી, એટલે તેની સામું. 1. I P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036466
Book TitleParshwanatha Charitra
Original Sutra AuthorN/A
AuthorUdayvir Gani, Parmananddas Ratanji Sheth
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1919
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size275 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy