SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ નારી ધરિત્ર કેઈ સ્વાર્થ કે પ્રયોજન નથી, છતાં પણ તમે પરોપકારને માર્ગ પસંદ કર્યો છે. ધન્ય છે તમને, તમારી ગૃહિણીને પણ ધન્ય છે. આ વનમાં પણ તમે પરમ સુખી છે, કારણ કે સંતોષ જેવું મહા દુર્લભ ધન તમને પ્રાપ્ત છે. “હે વનવાસી ! આ ધરતી બે પ્રકારના માણસોને સહારે જ ટકી છે. એક તો તેઓ જે સદા પરોપકારમાં તત્પર રહે છે અને બીજા તેઓ જે પોતાની સાથે કરેલા બીજાના ઉપકારોને ભૂલતા નથી, “સજજનોને રવભાવ જ એવો છે. સજજન સદા પિતાનાં કાર્ય છોડીને પણ બીજાનાં કામમાં લાગેલા રહે છે. - “જેમ ચદ્રમાં પોતાના કલંકને મિટાવવાનું છોડીને પૃથ્વીને પ્રકાશિત કરે છે.” * રાજાનાં વચન સાંભળીને વનવાસી ભીલ ખૂબ પ્રસન્ન થયો. વનવાસી તથા તેની પત્નીએ રાજાને યથાસંભવ બધા પ્રકારની સગવડો આપી. - રાત્રે રાજા ગુફામાં સૂઈ રહ્યો. વનવાસીની પત્ની પણ એક ખૂણામાં સૂઈ રહી. વનવાસી ભીલ ગુફાની બહાર * હુંતિ પરકજજનિરયા નિઅકજ ચપરમ્હા કુંડું સુડા ચદે ધવલે અહીં ન કલંક અત્તણે કુસઈ . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036464
Book TitleNari Charitra
Original Sutra AuthorN/A
AuthorDevendra Muni Shastri
PublisherLakshmi Pustak Bhandar
Publication Year1981
Total Pages48
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy