SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ નારી ચરિત્ર સમયે તમને અસુરક્ષિત છેડી શકું નહીં.” રાજાએ કહ્યું સહસંમતિ હું જાણું છું. યાદ રાખે. જેમ વાંચન કરવાથી મૂર્ખતાનો નાશ થાય છે અને જેમ મૌન રહેવાથી - ઝગડાનો અંત આવે છે, તેવી રીતે જાગવાથી ભયનો નાશ થાય છે. “તેથી તમે મારી ચિંતા કરવાનું છોડી દો અને તરત જ શતમતિનો વધ કરે. તે મારો અપરાધી છે. રાજાની આજ્ઞાથી લાચાર બનેલે સહસ્ત્રમતિ શતમતિના ઘેર પહોંચ્યો. ત્યાં શતમતિ રાગ-રંગમાં મસ્ત હતો. સહસંમતિ ત્યાં પહોંચે એટલે શતમતિએ તેનું સહૃદયતા પૂર્ણ સ્વાગત કર્યું અને પ્રેમભાવથી આસન આપ્યું. તેના આવા આત્મીયતાપૂર્ણ વ્યવહારને જોઈને સહસ્ત્રમતિ વિચાર કરવા લાગ્યો ખબર નહીં, રાજા અને શા માટે મારી નખાવવા માગે છે ? મને તો આ ખૂબ સરળ, આત્મીય અને ઉદાર લાગે છે. તેનો વધ કરવાથી તે મહા અનર્થ થશે.” સહસ્ત્રમતિ મૌન રહીને શતમતિની બાબતમાં વિચાર કરી રહ્યો હતો ત્યાં જ એકદમ ચમકીને શતમતિએ તેને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036464
Book TitleNari Charitra
Original Sutra AuthorN/A
AuthorDevendra Muni Shastri
PublisherLakshmi Pustak Bhandar
Publication Year1981
Total Pages48
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy