SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ( 10 ) શ્રી મુનિપતિ ચરિત્ર. સ્કાર કરીને કહ્યું –“હે ભગવન્! મને ચારિત્ર આપ.” તેવારે સરિયે કહ્યું:–“તમને જેમ સુખ થાય તેમ કર.” પછી મુનિપતિ ભૂપતિયે મહાટા ઉત્સવપૂર્વક મણિચંદ્ર નામના પોતાના પુત્રને રાજ્ય સોંપી, શ્રી જિનમંદિરમાં પૂજા, સ્નાત્ર, અઠ્ઠાઇમહેસૂવ કરી, યાચકજનોને ઘણું દાન આપી, દિક્ષા ગ્રહણ કરી. પછી તેઓ ગુરૂની પાસે અનેક શાસ્ત્રાનો અભ્યાસ કરી સિદ્ધાંતના પારગામિ થયા. પછી તે મુનિપતિ સાધુ નગરને વિષે પાંચ રાત્રી અને ગામને વિષે એક રાત્રી રહેતા; તેમજ છકાયની રક્ષા કરતા છતા અનુક્રમે ગિતાર્થ થઈ એકલાજ વિહાર કરવા લાગ્યા. એકદા શિતગડતુમાં તે મુનિ ઉજ્જયિની નગરીએ ક્ષિપ્રાનદીને તીરે કઈ ઉદ્યાનમાં રાત્રી (સંધ્યા સમયે) કાયોત્સર્ગ રહ્યા, એવામાં કેટલાક ગેવાળીયા ગાયોનું ધણ ચરાવીને આવતા હતા, તેમણે શિતનો પરિસહ સહન કરતા કાયોત્સર્ગધ્યાને ઉભા રહેલા તે મુનિને દીઠ; તેથી તેઓ વિચાર કરવા લાગ્યા કેઅહે! આવી મહા ટાઢમાં પણ આ મુનિ P.P.As. Gunratnasuri M.S.
SR No.036456
Book TitleMunipati Charitram
Original Sutra AuthorN/A
AuthorMaganlal Hathisang Shah
PublisherMaganlal Hathisang Shah
Publication Year1914
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy