________________ શ્રી મુનિપતિ ચરિત્ર, = અને પરિવાર વિગેરેને પામે છે. તેમજ રામ'ચંદ્રની સ્ત્રી સિતાને જેમ શિયળથી અગ્નિનો ભય નાશ પામ્યો અને અંતે સ્વર્ગ પ્રાપ્ત થયું, તેમ શિળવ્રત ધારણ કરનારાને સુખસંપત્તિ પ્રાપ્ત થાય છે. વળી જેમ દઢપ્રહારીયે સ્માર હ• ત્યા કરી હતી, પણ દિક્ષા લઈ તપસ્યા કરીને તે કર્મનો ક્ષય કર્યો, તેમ અન્ય મનુષ્યોના કમનો ક્ષય પણ તપથીજ થાય છે. વળી જેમ ભરત ચક્રવતીને આરિણાભૂવનમાં પોતાનું સ્વરૂપ જોતાં જોતાં આંગળીમાંથી વીંટી પડી ગઈ, તે ઉપરથી જ ભાવના ભાવતાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું, તેમ ભાવના ધર્મ પણ ચતુર્ગતિરૂપ સંસાર રને વિષે ભમતા એવા પ્રાણિઓને સગતિ આપવામાં સમર્થ છે. વળી પ્રસન્નચંદ્ર રાજર્ષિ કે જેમણે આર્તધ્યાન અને રિદ્રધ્યાન થાતાં સાતમી નરકનું આયુષ્ય માંઠયું હતું, તે પણ શુભભાવના ભાવતાં અને શુકલધ્યાન થાતાં મેક્ષના સુખને પામ્યા તેમ બીજા પ્રાણિઓ પણ ભાવનાથી સંસારસમુદ્રના પારને પામે છે.? - એ પ્રકારે ધર્મષસીના મુખથી અમૃત સમાન દેશના સાંભળીને મુનિપતિ રાજા પ્રતિબોધ પામ્યા. પછી તેણે સૂરિને નમઃ