SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મુનિપતિ ચરિત્રમ કહ્યું. “હે ઉત્તમ બ્રાહ્મણ! હું તારા ઉપર ખુશ થશે છું: તારી ઈચ્છા પ્રમાણે તું મારી પાસે માગ. તું જે માગે તે હું આપીશ.” બ્રાહ્મણે કહ્યું: “હે રાજેન્દ્ર ! મારી પ્રિયાને પૂછીને પછી માગીશ, ત્યારપછી રાજાની રજા લઈને મુક બ્રાહ્મણે ઘરે આવીને પિતાની પત્નીને કહ્યું–હે પ્રિયાએ આજે રાજા મારા ઉપર ખુશ ખુશ થયેલ છે. તેણે હું માંગુ તે આપવાનું કહ્યું છે. પણ મેં તો તને પૂછીને જ માંગવાનું નક્કી કર્યું, છે ! તે તું કહે હું રાજા પાસે શું માગું “આ સાંભળીને બુદ્ધિમાન બ્રા ઘણીએ મનમાં વિચાર્યું કે જે બુદ્ધિહીન બ્રાહ્મણ રાજા પાસે ગામ નગર કે. એવું માગશે તે તે આ બ્રાહ્મણ બીજી પત્ની કરીને મારું અપમાન કરશે. આમ વિચારી તેણે બ્રાહ્મણને કહ્યું તો તે હે સ્વામી! આ રાજાના દેશમાં બધાને હંમેશાં એકેક દિવસ ભોજન મળે, એમ એકેક સેનામહોર, દક્ષિણમાં મળે તેવી તમે માગણી કરી. તે સાંભળી બ્રામણે તે રાજા પાસે આવીને તે જ રીતે માણ્યું ત્યારે રાજાએ કહ્યું: “અરે મૂર્ખ ! તે આવું જ શું માગ્યું ! બીજું કંઈ ગામ વિગેરે માગ.” બ્રાહ્મણે કહ્યું: “હે સ્વામી! ગામ વિગેરેના લાંબા વ્યવહારની.વિડંબનામાં મને ગમતું નથી. તેથી આટલું જ મને સંતેષ પમાશે. એથી એ જ આપો? ત્યારે રાજાએ પિતાના દેશમાં પહદુષણ-ઢોલ વગાડીને જાહેરાત કરવા પૂર્વક બ્રાહ્મણને તેના માગ્યા પ્રમાણે આપ્યું. : હવે આ ખુશ થયેલે બ્રાહ્મણ હંમેશાં ઘેર ઘેર ભોજન કરે છે અને દક્ષિણામાં એક સેનામહોર ગ્રહણ કરે છે. - અને રાજ માન્ય હોવાથી લોકો પણ હંમેશાં તેને મિષ્ટાન્ન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036455
Book TitleMunipati Charitram
Original Sutra AuthorN/A
AuthorSanyamsagar
PublisherSimandhar Swami Jin Mandir Khatu
Publication Year1985
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size114 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy