SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મુનિપતિ ચરિત્રમ 141 પૂછ્યું: " હે ભગવન ! પાપ કર્મમાં જ આ રક્ત તે દુષ્ટનિષાદ મરીને કયાં જશે!” . . - આચાર્ય ભગવંતે કહ્યું: “હે રાજન! તે પાપનું નરક સિવાય બીજું સ્થાન જ નથી. કહ્યું પણ છે કે- જીવહિંસામૃષાવાદ–તૈન્યા સ્ત્રી નિષેવનૈઃ પરિગ્રહ કષાશ્વ, વિષ વિવશીકૃત છે કૃતનો નિર્દયઃ પાપી, ૫રદ્રોહ હે વિધાયકઃ રૌદ્રધ્યાનપર ફરે, ન હિ નરકે વજેતુ છે જીવહિંસા કરનાર, જુઠું બોલનાર, ચોરી કરનાર, પરસ્ત્રીનું સેવન કરનાર, પરિગ્રહ કષાય, અને વિષયને. આધીન થયેલ, કૃતધ્વ—ઉપકારને ભૂલી જનાર, દયારહિત પાપી, બીજાનો દ્રોહ-વિશ્વાસઘાત કરનાર, રૌદ્ર ધ્યાનમાં તત્પર અનેક્ 2 આ બધા મનુષ્ય મરીને નરકે જ જનારા હોય છે. ફરી રાજાએ પૂછ્યું : “હે ભગવન! તે વાઘ મનુધ્યની ભાષા કેવી રીતે બોલી શકતો હતો?” એ આચાર્ય ભગવંતે કહ્યું : “હે રાજન! તેનું પણ, કારણ કહું છું, તે તમે સાંભળે”— 2 સૌધર્મ દેવલોકમાં એક ઇંદ્ર સરખી જ ઋદ્ધિવાળો એક સામાનિક દેવ છે; તેની પ્રાણથી પણ પ્રિય દેવી ત્યાંથી વી–મરીને કઈક મનુષ્યપણે ઉત્પન્ન થઈ. તે વખતે તે દેવની પ્રિયાના આરક્ષક દેવોએ તેના પ્રિય દેવને. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036455
Book TitleMunipati Charitram
Original Sutra AuthorN/A
AuthorSanyamsagar
PublisherSimandhar Swami Jin Mandir Khatu
Publication Year1985
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size114 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy