SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મુનિપતિ ચરિત્રમ્ છે! મુનિ ભગવંતે કહ્યું: “હા આવડે તે છે પણ જો તમે. સારી રીતે ગાતા હોય તે તમે ગાવ, હું નૃત્ય કરુ, હવે તે બંનેએ ગાવાની શરૂઆત કરી અને તેની સાથે પણ નૃત્ય કરવા લાગ્યા. આમ થોડી વાર નૃત્ય કરી. મુનિએ કહ્યું: “અરે ! તમે તો મૂખ છે,” તમને સારી રીતે. ગાતા આવડતું લાગતું નથી. તે બંનેએ કહ્યું: “અરે મુંડ! તને જ સારી રીતે નૃત્ય કરતા આવડતું નથી એમ કહીને જેટલામાં તે બંનેએ મુનિને મારવા માટે હાથમાં લાકડી. લીધી, તેટલામાં વિદ્યાના બલથી મુનિએ તે બંનેને ત્યાં જ થંભાવી દીધા અને જાણે હાડકાં જ ભાંગી ગયાં ન હોય. તેવી રીતે થઈને ખૂબ આનંદ-બૂમે પડતા પૃથ્વી ઉપર પડયા. સાધુભગવંત તે પોતાના ઉપાશ્રયમાં ચાલ્યા ગયા. જ્યારે તે મણિચંદ્ર રાજા ભેજન કરવા બેઠા ત્યારે ત્યાં તે પુત્રને ન જેવાથી પોતાના સેવકને ઘરની અંદર તેની તપાસ કરાવતાં તે સેવકએ આવી રાજાને જણાવ્યું કે : “હે સ્વામી! કુમાર અને મંત્રીને પુત્ર: બંને મહેલની અગાશીમાં બૂમો પાડતા અને જાણે હાડકાં ભાગી ગયા હોય તેવા થઈને પડયા છે” ત્યારપછી રાજાએ. સાધુભગવંત આવ્યાની વાત જાણે હૃદયમાં ખૂબ દુઃખી થતાં જ્યાં ધર્મશાળામાં ત્યાં ધર્મશાળામાં પોતાના ભાઈ (સાધુ. ભગવત છે તેમ)ને ઓળખીને લજજાથી નમ્ર મુખવાળા થઈને નમસ્કાર કરીને કહેવા લાગ્યા: “હે ભગવન્! આપના જેવાં મહાપુરુષોને આવું કામ કરવું ઉચિત ન ગણાય.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036455
Book TitleMunipati Charitram
Original Sutra AuthorN/A
AuthorSanyamsagar
PublisherSimandhar Swami Jin Mandir Khatu
Publication Year1985
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size114 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy