________________ સુંદરીની હયાતી આ ભારતવર્ષ ઉપર હતી. આ ચરિત્ર શ્રીમાન કેશીગણધરે જેમ શંખ રાજા આગળ કહ્યું હતું. તેવી રીતે આંહી પણ કહેવામાં આવ્યું છે. " આ ચરિત્ર શ્રીમાન જયતિલક સૂરિએ માગધી ચરિત્ર ઉપરથી રચ્યું છે એમ તેઓશ્રીએ એક સ્થળે ઉલ્લેખ કર્યો છે. - આ ચરિત્ર, કમની વિચિત્રતા અને કરૂણારસ પ્રધાનતાવાળું હોવાથી મનુષ્યનાં હદય જલદી પોતાના તરફ આકર્ષે છે. આ ચરિત્ર સંસ્કૃત ભાષામાં જ્યાં જ્યાં વાંચવામાં આવ્યું છે, ત્યાં ત્યાં તેટલું જ આવકારદાયક અને માનનીય થઈ પડયું છે. - આ ચરિત્ર ઉપર પૂવે ઢાળબંધ ગુર્જર ભાષામાં એક રાસ પણ રચાયેલો છે, જે રા. ભીમસહ માણેકે છપાવે છે, મૂળ સંસ્કૃત ચરિત્ર પણ પં. હીરાલાલે છાપી બહાર પાડેલ છે, - આ ચરિત્રઉપર ઘણાં મનુષ્યનાં મન આકર્ષાયેલાં હોવાથી હાલની પ્રચલિત ભાષામાં એટલે ગુજરાતી ભાષામાં મૂકી તેઓની ઇચ્છા પૂર્ણ કરવી એવી મારી મનોવૃત્તિ થઈ, અને તે પ્રમાણે વિક્રમ સંવત ૧૬૪ના ઉનાળાના વખતમાં દક્ષિણપૂનાની આજુબાજુના પ્રદેશોમાં વિચરતાં આ ચરિત્ર, મેં ગુજરાતી ભાષામાં લખવું શરૂ કર્યું, અને પુનામાં ર. ઝવેરી મોતીચંદ ભગવાનની ધર્મશાળામાં ચાતુર્માસ રહી પુર્ણ કર્યું હતું. આ ચરિત્ર પ્રથમ તે મેં અક્ષરા લખવા ધાર્યું હતું, અને તે પ્રમાણે લખ્યું પણ હતું. તથાપિ ચાલતા જમાનાના જીને અનુસરીને લખાતાં નેવેલ પ્રમુખમાં જે સુધારે લખતામાં, કરવામાં, આવે છે, તે સુધારે અત્યારના વાચક વર્ગને સમાગે દોરવાને મને ચોગ્ય લાગે, અને તેમ કરવા માટે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust