SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ દેવસીરાઈ પ્રતિકમણ અથ સાથે. 0-10-0 (31) અને તેથીજ અનેક ભવ્ય જીવોને ઉત્તમ બોધ આપતી તે પૃથ્વી તળપર વિચરતી હતી. જ્ઞાનની સાથે તે મહાશયા તીવ્ર તાપશ્ચર્યા પણ કરતી હતી. કર્મકલેશને દૂર કરવા માટે તે અહેનિશ પ્રયત્ન કર્યા કરતી હતી. નવીન કર્મબંધ થતું અટકાવવા માટે પણ તેટલી જ પ્રયત્ન કરતી હતી. કેમકે કર્મનાં ભયંકર ફળે આ ભવમજ અનુભવવાં પડયાં હતાં, તે વખત અને દુઃખને તે - ભુલી ગઈ ન હતી. જ્ઞાન, કિયામાં નીરંતર પ્રયન કરતાં આ મહાશયાને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. ગુરૂમહારાજે તેમને વિધિપૂર્વક મહત્તરાની (સર્વ સાધ્વીઓમાં મુખ્ય, આગેવાન, વીતરાગની આજ્ઞા મુજબ સર્વ સાધ્વીઓને પ્રવર્તાવનારની) પદવી આપી.. - અવધિજ્ઞાનના પ્રકાશની મદદથી મનુષ્યના સંદેહરૂપ અંધકારને દૂર કરતી, અને ભવ્ય જીવરૂપ કમળને વિકસિત કરતી, તે મહાનુભાવો મહત્તરા પૃથ્વીતળ પર ઉગ્ર વિહારે વિચારવા લાગી. - જ્ઞાનકથી ( જ્ઞાનપ્રકાશથી (મહાબળ મુનિનું નિર્વાણ થયેલું જાણી, અને તે દુઃખથી શોકસાગરમાં ડુબેલા શતબળ રાજાને દેબી, તેમને ઉદ્ધાર કરવા નિમિત્ત સાધી મલયાસુંદરી, અનેક સાધ્વીના પરિવાર સહિત વિહાર કરતાં, ક્રમે સાગરતિલક શહેરમાં આવી, અને પોતાને લાયક વસ્તીમાં મુિકામમાં નિવાસ કર્યો. . પિતાની માતા મહત્તરા મલયાસુંદરીનું આગમન સાંભળી શતબળને ઘણો હર્ષ થે. રાજા શતબળ પિતાના પરિવાર સહિત, તકાળ તે મહત્તરાને વંદન કરવા આવ્યા. વંદના કરી પિતાને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036450
Book TitleMalaya Sundari
Original Sutra AuthorN/A
AuthorKesharvijay Gani
PublisherKeshavlal Savaibhai Shah
Publication Year1913
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size244 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy