SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ નવસ્મરણ ગુજરાતી ગુટર 0-2-0 ( 347 ) માટે અનાથશાળાઓ, દર્દીઓને માટે દવાશાળાઓ, પથીકો માટે ધર્મશાળાઓ અને ભુખ્યાઓ માટે ભોજનશાળાઓ કરી તેમના દુઃખમાં ઓછાશ કરવી. જે મનુષ્ય, જે આશ્રમમાં રહ્યો હોય તેણે તે તે આશ્રમને લાયક પિતાને ધર્મ બજાવતાં પાત્ પડવું ન જોઈએ. આ પ્રમાણે સરલ પણ વિશેષ લાંબે પરમશાંતિ માટેને ગૃહસ્થ ધર્મ એ પણ એક માર્ગ છે. . આયુષ્ય અસ્થિર છે. સંપદા તે વિપદાથી ભરપુર છે. સંગ તે વિયેગવાળો છે. લક્ષમી વીજળીની માફક ચપળ છે, સંસારનું સુખ સ્વમ સરખું છે. ચારે બાજુથી વિપદાઓ આવી પડે છે, મરણચક માથે ફરી રહ્યું છે. પાણીના પરપોટાની માફક પ્રાણીઓ ઉત્પન્ન થાય છે અને વિલય પામે છે શરીર જરાએ જર્જરીત થાય છે. ધર્મ સિવાય કોઈ રક્ષા કરનાર નથી. ઈદ્ર, ચંદ્રાદિ દેવ પણ મરણને શરણ થાય છે. તે હે માન છે ! તમે આમ કયાંસુધી ઘોરનિદ્રામાં ઘેરાશો? આટલા બધા નિસંત શા કારણથી થઈ બેઠા છે ? જાગ ઉઠે. પરમશાંતિના માર્ગમાં પ્રયત્ન કરે. ગમે તે વખતે તેનું શરણ લીધા સિવાય તમારો છુટકો નથી જ. અમુલ્ય આયુષ્યને એક સમય પણ નિરર્થક ન કાઢે. આ માનવદેહ અને આ સંપૂર્ણ સામગ્રી ફરી ફરી મળવી મુશ્કેલ છે. ઈત્યાદિ ગુરૂમહારાજની ધર્મદેશના સાંભળી અનેક મનુષ્યો પ્રતિબોધ પામ્યા. - સુરપળ રાજાદિ રાજકુટુંબને ઘણે હર્ષ થશે. તેમના આનંદનો પાર ન રહ્યા. અહા ! ગુરૂસિવાય અજ્ઞાન અંધકાર bણ દૂર કરે ? ગુરૂ સિવાય જ્ઞાનનેત્ર કેણ આપે ? ગુફસિવાય P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036450
Book TitleMalaya Sundari
Original Sutra AuthorN/A
AuthorKesharvijay Gani
PublisherKeshavlal Savaibhai Shah
Publication Year1913
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size244 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy