SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ માનતુંગ માનવતી નેવેલ. –પ- (31) પાક ( કમરૂપ ) પણ તેટલો જ તીવ્ર કે મંદ હોય છે. દષ્ટાંત તરિકે લીમડાને રસ કડવે છે અને શેરડીનો રસ મીઠે છે. એક શેર રસ બને જાતને લીધે હોય, અને તેને જુદા જુદો ઉકાળીને એક રૂપિઆભાર બાકી રાખ્યો હોય. આ એક રૂપિઆભાર કડવાશ કે મીઠાશમાં તમે તપાસ કરશે, તે એક શેર રસની અપેક્ષાએ આ રૂપિઆભાર રસમાં ચાળીશ ગણી કડવાસ કે મીઠાશ જણાશે. હવે તે શેર રસમાં એક મણ પાણી નાખે, તે તમને એક શેર રસમાં જે કડવાસ કે મીઠાશ જણાતી હતી કે લાગતી હતી તેના કરતાં ચાળીશ ગણી કડવાશ કે મીઠાશ આ રસમાં ઓછી લાગશે. . આવી જ રીતે કામ કરતી વખત જેવાં જેવાં તીવ કે મંદ પરિણામ ( આશય–વિચાર અધ્યવસાય ) હોય તેના પ્રમાણમાં તે જીવ, તીવ્ર કે મંદ સુખ, દુઃખનો અનુભવ કરશે. માટેજ મહાત્મા પુરૂષે વારંવાર પિોકારીને ભગવાસી જેને ચેતાવે છે કે તમે સાવધાન થાઓ. કિલષ્ટ કર્મો નહિ કરો. અત્યારે તમને આનંદ થાય છે પણ તે કર્મનાં ફળો ઉદય આવતાં તમને પશ્ચાત્તાપ થશે, ખેદ થશે, દુઃખ થશે. તમે રીબાસો, અત્યારે તમે હસતાં હસતાં કમ બાંઘો છે પણ તે કર્મના ફળ રોવા છતાં પણ, પછી ભેગવ્યા સિવાય નહિં જ છુટે. * આ તીવ્ર, મંદ, કે કિલષ્ટાદિ પરિણામે (અધ્યવસાયે) ગ્રહણ કરેલાં પુદગલે આઠ ભાગમાં વહેંચાઈ જાય છે, તીવ, મંદ કે, કિલષ્ટ અધ્યવસાય થયે, તેવે ભાવે કાંઈ બોલાયું. અથવા તેને ભાવે કાંઈ કાર્ય કે, ક્રિયા કરાઈ કે તરતજ આ જીવ, તેવાં શુભ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036450
Book TitleMalaya Sundari
Original Sutra AuthorN/A
AuthorKesharvijay Gani
PublisherKeshavlal Savaibhai Shah
Publication Year1913
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size244 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy