SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ છે. તે કયાં નામ પુનમ તેવું કન્ન થ . પંચતંત્ર 0-12-0 - (311 ) ક્રિયાદિકને પ્રેરક આત્મા આ સ્થળથી કોઈ પણ સ્થળે ચાલ્યા ગયો છે. તે કયાં ગયે ? તે ભલે આપણને ન દેખાય-કે ન સમજાય. પણ તેનું જ નામ પુનર્જન્મ છે. કેમકે તે કોઈ પણ સ્થળે ગયે છે. તે સ્થળ, ભલે પછી ગમે તેવું હોય પણ એક સ્થળ ( સ્થળાંતરમાં જવું તે પુનર્જન્મ. (ફરી ઉત્પન્ન થવું.) આટલી વાત યાદ રાખવી જોઈએ કે, કેઈપણ વસ્તુનો નિરવય નાશ (મૂળથી-સર્વથા નાશ) થતું નથી. પણ તેને પર્યાયે બદલાયા કરે છે. આ વાત અનુભવસિદ્ધ છે. ધારો કે એક વસ્ત્ર છે કે લાકડું છે. તેને અગ્નિથી બાળી નાખ્યું, તેથી તે વસ કે, લાકડાંનો નાશ તે થયે. પણ વિચાર કરશે તે તેનો સર્વથા નાશ થયે નથી એ વાત સ્પષ્ટ સમજાશે. કેમકે તેની રાખ તે કાયમજ છે. વસ્ત્રની આકૃતિ કે પર્યાય તેને તે નાશ થયે પણ તેના પરમાણુઓ તે કાયમ જ છે. તે વસ્ત્ર રાખ પણે ઉત્પન્ન થયું તે તેને પુનર્જન્મ. એવી જ રીતે આ દેહને ત્યાગ કરી, અન્ય દેહમાં ઉત્પન્ન થવું તે આત્માને પુનર્જન્મ. અર્થાત આત્માને નાશ થતો નથી પણ પર્યાય બદલાય છે. સુખ, દુઃખ એ પૂર્વેકિયાને અનુસારે થાય છે. આ વાત પ્રત્યક્ષ જણાય કે સમજાય તેવી છે. ધારો કે, તાપ સખત લાગે છે અને બહાર જવું છે તો પગમાં જોડા પહેર્યા અને માથે છત્રી ઓઢી એટલે તાપ લાગતો એ થયો. આ તાપ છે. લાગવાથી જે સુખ થયું તે, સુખ પહેલાની જેડા પહેરવા અને છત્રી ઓઢવારપ ક્રિયાથી થયું. અથવા શહેરમાંથી ચાલી તમે ધર્મ શ્રવણ નિમિત્ત આ ઉદ્યાનમાં આવ્યા. અહીં આવવારૂપ કાય, તે, પહેલાંની ક્રિયાને સૂચવે છે. આ દષ્ટાંતે, ગર્ભમાં P.P. Ac. Gunratnasuri M.S.. Jun Gun Aaradhak Trust
SR No.036450
Book TitleMalaya Sundari
Original Sutra AuthorN/A
AuthorKesharvijay Gani
PublisherKeshavlal Savaibhai Shah
Publication Year1913
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size244 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy