________________ મરકીના રોગને એક્ટ. 02-0 ( રર૦) - મલયાસુંદરી પંચપરમેષ્ટિ મંત્રનો જાપ કરી રહી છે, તે સાંભળી મચ્છને કાંઈ આશ્ચર્ય લાગ્યું હોય તેમ પિતાની કપરા ( ડેક) વાંકી વાળી. વાળીને વારંવાર મલયાસુંદરીના સન્મુખ જેવા લાગ્યો. મચ્છ, વાર પાણીમાં સ્થિર રહ્યો. ત્યાર પછી પાણી પર તરતો તરતે એક દિશાના સંમુખ ઘણી ઝડપથી. ચાલવા લાગ્યા, * મરછની આ પ્રવૃત્તિથી મલયાસુંદરી વિસ્મય પામી વિચારવા લાગી કે, અહો ! આ મચ્છ આમ સુખે સુખે મને કયાં લઈ જશે ? ખરેખર કેઈ હિતસ્વી મનુષ્યની માફક આ મરછ વારંવાર મારા સંમુખ જોઈ રહ્યો છે. રુધિરથી ખરડાયેલું શરીર, સમુદ્રના પાણીનાં મજાથી ધોવાઈ ગયું. મચ્છર બેઠેલી મલયાસુંદરી આગળ જવા લાગી તેને કાંઈ પણ ઇજા ન થાય તેવી રીતે મચ્છ પાણીમાં ઝડપથી ચાલવા લાગે. ઘ. ણા શેડા જ વખતમાં ઉત્તમ વહાણની માફક તે સાગરતિલક ના મના બંદર પાસે આવિ પહોંચે. | એ અવસરે તે બંદરને સ્વામી કંદરાજા, અશ્વદિ કીહા નિમિત્તે, કેટલા એક સુભટે સાથે બંદર પર આમતેમ ફરતે હતે. તેવામાં સમુદ્રની સપાટી પર પુરસમાં ચાલવા આવતા મચ્છઉપર તેઓની દૃષ્ટિ પડે. મરછપર આરૂઢ થયેલા મનુષ્યને દેખીને તે સર્વે વિસ્મથ પામ્યા. આપસમાં બોલવા લાગ્યા. અરે ! આતે અપૂર્વ આશ્ચર્ય ગરૂડપર ચઢેલા શ્રીકૃષ્ણની માફક, આ જલહસ્તી પર ચડીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust