SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ મીતાક્ષર 2. બા. ભેળાનાથ સારાભાઈને 5-0-0 ( 15 ) દેવળના શિખરમાંથી હમણાં બહાર કાઢવામાં નહિં આવે છે, મારા જવા પછી તેને કોણ કાઢશે ? તે બીચારે અંદર મરી જશે, તેની હત્યા મને લાગશે. માટે તું હમણાં અહીં રહે, તે ચારને બહાર કાઢી હું તરતજ પાછા આવું છું. ' મલયાસુંદરી- પ્રાણનાથ ! આ આજ્ઞા, આપ મને નહિ કરશે. તેમ કદી નહિ જ બને. હું હવે આપનાથી જુદી રહેનાર નથી, તેમ પહેલાંની માફક આ વખતે આપનાથી બાહાનું કાઢી શકાય તેમ નથી. હવે તે મારા પિતાએ આપને સોંપીજ છે ને. અરે ! માતા વેગવતી ! અમારા આવ્યા પહેલાં મારા પિતાશ્રી. અહીં આવે તે તું તેમને કહેજે કે મલયાસુંદરીએ ગોળાનદીના કિનારા પર રહેલ દેવીની માનતા માની હતી તેથી ત્યાં નમસ્કાર કરવા અને ગયાં છે, અને હમણાં જ પાછાં આવશે. આ પ્રમાણે વેગવતીને ભલામણ કરી, મલયાસુંદરી મહાબળના ના કહેવા છતાં, સાથે ચલાવા લાગી... આ તરફ વિરધવળ રાજાએ તે રાજકુમારોને, સામદામાદિ ભેદે ઘણી રીતે સમજાવ્યા, ચણ તેઓએ બીલકુલ તેનું કહેવું. માન્યું નહિ, પણ ઉલટું તેઓ તેને કહેવા લાગ્યા કે, પ્રભાતે તમારા જમાઈને મારી, કન્યાને લઈને પછી અહીંથી જઈશું. પણ તે સિવાય અમે અહીથી બીલકુલ જવાના નથી. - વીરધવળ રાજાએ તેમને સમજાવવું મૂકી દીધું. તરતજ મહેલમાં આવ્યું અને મહાબળ માટે ઘણીજ વેગવાળી કરી (સાંઢણી ). તૈયાર કરાવી. છે છે. ઉતાવળ કરાવવા માટે રાજા, મલયાસુંદરીવાળા મહેલમાં આબે, પણ ત્યાં તેણે મહાબલાદિને દીઠાં નહિં. દેગ તીએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036450
Book TitleMalaya Sundari
Original Sutra AuthorN/A
AuthorKesharvijay Gani
PublisherKeshavlal Savaibhai Shah
Publication Year1913
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size244 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy