SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ રાજસ્થાનમાં ચૈત્રી એળી બામણવાડામાં પૂ.પાદશ્રી આદિ મુનિમંડળની શુભ નિશ્રામાં શાનદાર રીતે ઉજવાયેલ. પીંડવાડામાં શ્રી ભાગવતી દીક્ષા મહોત્સવ તથા પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવેલ. બાદ ઉત્તર ગુજરાતમાં પૂ.પાદશ્રી સપરિવાર વિચરી, અનેક સ્થળમાં સુંદર ધર્મપ્રભાવના વિસ્તારતા જેઠ સુદિ ૧૪ના શુભ મુહૂતે પાટણમાં ચાતુર્માસાથે પધારતાં શ્રી રીખવચંદ મુળચંદ પરિવાર તરફથી સામૈયું થયેલ. પૂજ્યપાદ પરમ શાસન પ્રભાવક સુવિશાલ ગચ્છાધિપતિ પરમ ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજશ્રી વિશાલ સાધુ પરિવાર સાથે ચાતુર્માસાથે અષાડ સુ. 2 ના પધારતા પાટણ જૈન સંઘે ભવ્યાતિભવ્ય શાનદાર પ્રવેશ મહોત્સવ ઉજવેલ. પૂ.પાદ આ. ભ. શ્રી વિ.કનકચંદ્રસૂ. શ્રી તથા પૂ.પાદ ઉપાધ્યાયજી મ. શ્રી મહિમાવિજયજી ગણિવરશ્રી આદિ મુનિમંડળનું વિ. સં. ૨૦૩૫નું ચાતુર્માસ પૂ.પાદ પરમગુરુદેવ શ્રીમદની પુનિત નિશ્રામાં થયેલ. લગભગ કેટલાયે વર્ષો બાદ પૂ.પાદ આ. ભ. શ્રી વિ.કનકચંદ્રસૂ. મ.શ્રી આદિનું ચાતુર્માસ પિતાના પરમ ઉપકારી પરમ તારક પરમ ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રીમદની શુભ નિશ્રામાં ચિરસ્મરણીય બને તે રીતે થયેલ. પૂ. ઉપા. મ. શ્રી મહિમાવિજયજી ગણિવરશ્રીના સંસારી પક્ષે ભાણેજ શ્રાદ્ધવર્ય ધર્મનિષ્ઠ ઉદારદિલ શ્રી હસમુખભાઈની તથા પાટણ શ્રી સંઘના આગેવાન સુશ્રાવકેની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036447
Book TitleKatharatna Manjusha Dhanya Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaykanakchandrasuri
PublisherVishvamangal Prakashan Mandir
Publication Year1981
Total Pages537
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size300 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy