SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ છ એ દ્રવ્યોનું સુંદર સ્વરૂપ નિરૂપિત થયું છે. ગણિતાનુગમાં ત્રણે લેકનું સ્વરૂપ તેના માન-પરિમાણ સાથે યથાર્થ પણે પ્રરૂપિત કરવામાં આવેલ છે. ચરણકરણનુગમાં આત્માને કર્મબંધનથી મુક્ત થવામાં પરમ સહાયક સર્વશ્રેષ્ઠ આચારની પાલના માટે તેનું નિરૂપણ વ્યવસ્થિત રીતે સંકલિત કરાયું છે. જ્યારે ધર્મ કયાનુગમાં આત્માદિ દ્રવ્ય, લેકનું નિરૂપણ તથા સર્વશ્રેષ્ઠ. ચારિત્રધર્મને મહિમા, તેનાથી વિપરિત આચરણના અનર્થો ઈત્યાદિનું સચેટ શૈલીએ પ્રતિપાદન કરાયેલ હોય છે. આ દષ્ટિએ અલ્પજ્ઞાનીથી માંડી સર્વ કેઈને એકસરખી રીતે ઉપકારક ધર્મ કથાનુગનાં સાહિત્યને જીવન વિકાસ કે આત્મઅભ્યસ્થાનના માગમાં ખૂબ જ મહત્વને ફાળે છે. કથા વાંચવી કે સાંભળવી સહુને ગમે છે. તેમાં આવતાં પાત્રે દ્વારા સાર કે અસાર, હિત કે અહિત, શ્રેય કે પ્રેય, વાંચનાર કે સાંભળનારાનાં હૃદયમાં તરત જ અસરકારક રીતે ઉતરી જાય છે. ટૂંક કે લાંબે સદુપદેશ વાંચનાર કે સાંભળનારને જીવનમાં પ્રોત્સાહક કે પ્રેરક બનાવનાર ધર્મકથાનાં સાહિત્યને ઉપકાર ભવ્ય જીવે પર નાનોસૂને નથી. આથી જ જૈન શાસનના ધર્મકથા સાહિત્યને વર્તમાનકાલીન પદ્ધતિએ તેને ભાવ જળવાઈ રહે તે રીતે સુયોગ્ય શૈલીએ સંયેજિત કરીને તેને પ્રચાર કરવો ખૂબ જ ઉપકારક છે તે નિઃશંક છે. 1 )- : - આ શુભ ઉદ્દેશને નજર સમક્ષ રાખીને, આ મંગલકારી લક્ષ્યને સામે રાખીને, પ્રસ્તુત ગ્રંથરતનની મેં સંકલન કરી છે. આ સંજન મારૂં પિતાનું સ્વતંત્ર કે મારી પિતાની લેખિની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036447
Book TitleKatharatna Manjusha Dhanya Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaykanakchandrasuri
PublisherVishvamangal Prakashan Mandir
Publication Year1981
Total Pages537
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size300 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy