SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ નર નીચી ગતિ ચે ચડી Gરવા માટે તે કલ્યાણમંદિર સ્તોત્ર જ્યાં સુધી મનુષ્ય સ્વચ્છેદે ચાલી, સંસાર-સમુદ્રમાં તરવાને પ્રયત્ન કરે છે ત્યાં સુધી કર્મભારને લીધે તે તરી ન શકતાં ડૂબકીઓ બધા કરે છે, ઊંચે-નીચે થયા કરે છે, એટલે કે કર્માનુસાર ઊંચી-નીચી ગતિમાં ભમ્યા કરે છે. પણ એ મનુષ્યદેહમાં જેવું પ્રભુનું સ્થાપન થાય છે તેવું અતિ મહત્વનું પરિવર્તન આવે છે. કર્મભારથી રહિત હળવા પ્રભુના સાનિધ્યમાં મનુષ્યનાં કર્મો પણ નાશ પામતાં જાય છે. તેની નીચી ગતિ છેદાઈ જાય છે અને ઊંચે ઊંચે ચડી સમુદ્ર તરી જાય છે. મસકને તારવા માટે તેમાં વાયુ પૂરવાને જેમ પુરુષાર્થ કરે પડે છે તેમ જીવને તરવા માટે પ્રભુને બિરાજમાન કરવા પુરુષાર્થ કર્તવ્ય છે તે આ કડીથી સમજાય છે. બાહ્ય વિરેધ તથા તેનાં શમન દ્વારા આચાર્યજી પિતાને થયેલી અનુભૂતિ પ્રગટ કરે છે. આરંભની કડીઓમાં તેમણે પિતાની અલ્પતા વ્યક્ત કરી છે, અને સાથે સાથે મહાન કાર્ય કરવાની તત્પરતા પણ દર્શાવી છે. આ પરિસ્થિતિનું રહસ્ય અહીં ખુલ્લું થતું જણાય છે. પિતે કર્મધારી જીવ છે, તેથી મસક જેવા છે, અને તેમાં પવન જેવા પ્રભુને બિરાજમાન કર્યા છે. પવન એ મસક સાથેની સરખામણીમાં વજન અપેક્ષાએ ઘણે હળવે છે, તેથી મસકનું સમગ્રપણે, કદના પ્રમાણમાં વજન ઘટતું હોવાથી બંને સાથે રહીને કરી શકે છે. પવન તે એવો હળવે છે કે ગમે ત્યાં જઈ શકે, તરી શકે, રહી શકે, ત્યારે મસક વજનદાર હોવાથી તરી શકતી નથી. એ મસકમાં હળવે પવન પ્રવેશવાથી મસકનું કદના પ્રમાણમાં વજન ઘણું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036445
Book TitleKalyan Mandir Stotra
Original Sutra AuthorN/A
AuthorSaryu R Mehta
PublisherAsiatik Charitable Trust
Publication Year1978
Total Pages275
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size150 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy