SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ 35 કલ્યાણમંદિર સ્તોત્ર મહિમા વર્ણવતા અલ્પશક્તિવાનને થાય છે. આ વિકટતામાંકર્મોના ઉલ્કાપાતમાં, અનેક ઉપસર્ગ અને અંતરાની વચ્ચે આચાર્યજી આ દુષ્કર કાર્ય કેમ ઉપાડે છે તેનું રહસ્ય આ પછીની કડીઓમાં ધીમે ધીમે પ્રગટ થતું જણાય છે. બાર વર્ષ સંઘની બાર રહી, પરધમ વચ્ચે વસવાની શિક્ષા એ કર્મને ઉલ્કાપાત આચાર્યજી માટે ગણી શકાય. (4) अभ्युद्यतोऽस्मि तव नाथ जडाशयोऽपि / कर्तुं स्तव लसदसंख्य गुणाकरस्य / बालोऽपि किं न निजवाहुयुग वितत्य विस्तीर्णतां कथयति स्वधियाम्बुराशेः / / 5 દેદીપ્યમાન અસંખ્ય ગુણની ખાણ નાથ તમારી હું, આરંભ કરવા સ્તુતિ પણ મંદબુદ્ધિમાન છું; શું બાળ પણ કેતું નથી લંબાવી બેઉ હાથને, નિજ બુદ્ધિના અનુસારથી ઉદધિ તણા વિસ્તારને. 5 આચાર્યજી પોતે આરંભેલા આ વિકટ કાર્યના રહસ્યને પડદે ઉપાડવાની શરૂઆત કરતાં પ્રભુને કહે છે કે જેમ બાળક પણ પિતાની સમજણ પ્રમાણે સમુદ્રને વિસ્તાર જણાવવાને પિતાના બેઉ હાથ પ્રસારે છે તેમ હે નાથ ! હું પણ મંદ બુદ્ધિવાળા હોવા છતાં તમારા અસંખ્ય તેજસ્વી ગુણોની ખાણનું વર્ણન કરવાને ઉદ્યમી થે છું. ' એક નાનું બાળક સમુદ્રની વિશાળતાથી પ્રભાવિત થઈને, તેને વિસ્તાર દર્શાવવા પિતાની મતિ અનુસાર ઉદ્યમી થાય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036445
Book TitleKalyan Mandir Stotra
Original Sutra AuthorN/A
AuthorSaryu R Mehta
PublisherAsiatik Charitable Trust
Publication Year1978
Total Pages275
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size150 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy