SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ 32 કલ્યાણમંદિર સ્તોત્ર ગુણે બધા જણાવાઈ રહેતા નથી. એ ગુણેના કમનો અંત જ આવતું નથી. પિતાનાં એકથી વધારે જન્મને ઉપગ તે ગુણ ગાવામાં કરે છે પણ તે ગુણો પૂરેપૂરા વર્ણવાઈ રહેતા નથી એવા અપાર ગુણો પ્રભુના છે. અર્થાત્ આચાર્યજી અહીં જણાવે છે તે પ્રમાણે પ્રભુના ગુણ ગાવાને આરંભ કરનાર ભક્ત કયારેય તે કાર્યને અંત સુધી પહોંચી શકતો નથી. ભક્તની આ પરિસ્થિતિ સમજાવવા માટે આચાર્યજી સમુદ્રના રત્નરાશિનું ઉદાહરણ ગ્રહણ કરે છે. પ્રલયકાળ વખતે, સંસારને નાશ થવાને સમય નજીક આવ્યા હોય ત્યારે સમુદ્ર પિતાની મર્યાદા ત્યાગીને તાંડવ શરૂ કરે છે, ભયંકર તેફાને સમુદ્રમાં પ્રગટ થાય છે, અને એ સમુદ્રના તોફાનમાંથી એક પણ જીવ બચી શક્તો નથી, અને એ વખતે જળ–સ્થળના પણ ઘણાં ફેરફાર થઈ જાય છે. જ્યાં જમીન હોય ત્યાં સમુદ્ર આવી જાય, તથા સમુદ્ર હોય ત્યાં જમીન થઈ જાય. આવા બીજા પણ અનેક ફેરફારે તે વખતે થઈ જાય છે. પાણી ચારે બાજુ ફેલાતું જતું હોવાથી વચ્ચે-જ્યાં રત્નોના ઢગલા છૂપાયેલા પડ્યા હોય છે તે ભાગ ઉપર આવી ખુલ્લે થાય છે અને રત્ન દષ્ટિગોચર બને છે. પ્રાચીનકાળથી એક એવી કવિકલ્પના ચાલી આવે છે કે વધુમાં વધુ રને અને કિંમતી પથ્થરે એ દરિયાના પેટાળમાં છૂપાઈને પડેલા છે, અને જ્યારે પ્રલયકાળનું તાંડવ રચાશે ત્યારે તે રત્નરાશિ પ્રગટ થશે. પ્રલયકાળને વખતે ખુલે થયેલે આ સમુદ્રને મહા અદ્ભૂત ખજાને જે કંઈ જીવ માત્ર પિતાના બે બાહુના સાધનથી માપવા ઈચ્છે તે તેની શી દશા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036445
Book TitleKalyan Mandir Stotra
Original Sutra AuthorN/A
AuthorSaryu R Mehta
PublisherAsiatik Charitable Trust
Publication Year1978
Total Pages275
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size150 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy