SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્યાણમંદિર સ્તોત્ર 229 બરાબર વિરુદ્ધ પ્રકારનું છે. આ વિધાન કર્યા પછી, તેમને પ્રભુનું બીજું વચન સ્મૃતિમાં આવ્યું હશે. પ્રભુએ જણાવ્યું છે કે જીવે આ પૂર્વે અનંતવાર જિનદીક્ષા, શાસ્ત્રશ્રવણ વગેરે પ્રવૃત્તિ કરી છે, પણ જીવની મુક્તિ થઈ નથી. તે તેનું કારણ વિચારી સત્ય પુરુષાર્થ કરવો જોઈએ. આ વચન અનુસાર શ્રી આચાર્યજીના જીવે પણ પૂર્વના કાળે પ્રભુ વિશે સાંભળ્યું હોવું જોઈએ, તેમની કોઈ પ્રકારે પૂજન કરી લેવી જોઈએ અથવા તે પ્રભુના દર્શન કર્યા જ હોવા જોઈએ, તે સિવાય તેમને આત્મા સંજ્ઞી પંચેન્દ્રિયપણું પામ્ય શી રીતે ! અને તેઓ ઊંડી વિચારણામાં ચાલ્યા જાય છે. તેમણે આ બધું કર્યું તે હોવું જ જોઈએ. જે કર્યું હોય તે તેમની અત્યાર સુધી મુક્તિ કેમ થઈ નથી? અથવા તે દુઃખની પરંપરા વચ્ચે વસવાને પ્રસંગ તેમને કેમ પ્રાપ્ત થયું છે? એની વિચારણા કરતાં તેમને સમજાય છે કે કાં એ પ્રવૃત્તિ કરી નથી, અને જે કરી છે તે અપૂર્ણતાથી, ભાવરહિતપણે કરી છે, કારણ કે ભાવરહિત કરેલી ક્રિયાનું ફળ ન કર્યા સમાન જ છે. અને આ વિશેને પશ્ચાત્તાપ આચાર્યજીએ આ કડીમાં વ્યક્ત કર્યો છે. પ્રભુને સાંભળ્યા, નિરખ્યા કે પૂજ્યા હોય-સાચા ભાવથી આ પ્રવૃત્તિ કરી હોય તે તેનું ફળ નિશ્ચયે મુક્તપણું છે. તેને બદલે આચાર્યજીનો જીવ આ ભવમાં હૃદય વિદારી નાખે એવા અનેક દારુણ દુઃખોને ભેગ બનતે આવે છે, તે કારણ શું? આવાં દુઃખો આવવાનું મુખ્ય કારણ પ્રભુનું હૃદયથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036445
Book TitleKalyan Mandir Stotra
Original Sutra AuthorN/A
AuthorSaryu R Mehta
PublisherAsiatik Charitable Trust
Publication Year1978
Total Pages275
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size150 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy