SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્યાણમંદિર સ્તોત્ર 129 બને છે, તેમની પાસે જ્ઞાનરત્ન પ્રગટ થાય છે. અને જ્ઞાન-દર્શનચારિત્ર રૂપી રત્નત્રય પ્રગટાવી, આત્માને વિશુદ્ધ કરી, પરમાનંદ પ્રાપ્ત કરી, અજર-અમર બને છે. પ્રભુને વાણીને અતિશય સ્વયં પ્રગટ થાય છે, તે અતિશય સમજવા યોગ્ય છે. પ્રભુની વાણી અન્ય સર્વ જીવોની વાણી કરતાં જુદી પડે છે. શ્રી તીર્થકર પ્રભુની વાણીમાં શબ્દોને બદલે 3% ધ્વનિ છૂટે છે. આ ધ્વનિ માત્ર મુખ દ્વારા નથી નીકળતે પણ આખા યે દેહના પ્રત્યેક રેમમાંથી પ્રગટ થાય છે. વળી આ ધ્વનિ ચોતરફ એક જન સુધી બરાબર સાંભળી શકાય છે. એ વિસ્તારમાં ગમે તે જગ્યાએથી સાંભળે તે પણ એક સરખી માત્રા જ રહે છે. સમીપમાં મેટો અવાજ અને દૂર જતા જઈએ તેમ અવાજ ધીમે થતું જાય એવું બનતું નથી. >> ધ્વનિની ગતિમાં અન્ય પુદ્ગલ પર માણએ રૂકાવટ કરી શકતા નથી, તેથી વનિ નાને મોટો ન જણાતાં એક સરખો જ બધેથી સંભળાય છે. શ્રી તીર્થકર પ્રભુ સિવાય સર્વ કેઈ જીવની વાણી શબ્દોની બનેલી અને મુખથી નીકળેલી હોય છે. ત્યારે પ્રભુની વાણી 3% નાદની બનેલી અને પ્રત્યેક રોમમાંથી પ્રગટેલી હોય છે. 3% નાદમાં પંચ પરમેષ્ટિપદને સમાવેશ થાય છે. તે વાણીને શ્રોતા જે આત્મદશાએ હોય તે દશા અનુસાર આ નાદમાંથી પિતાને યોગ્ય બોધ મેળવે છે, અને આત્માવસ્થાનું એક સોપાન ચડે છે, અથવા તે ચડવાનું બળ પ્રાપ્ત કરે છે. એટલે કે શ્રી પ્રભુની વાણી પ્રત્યેક શ્રોતાને કેઈને કોઈ પ્રકારે ઉપકારી થાય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036445
Book TitleKalyan Mandir Stotra
Original Sutra AuthorN/A
AuthorSaryu R Mehta
PublisherAsiatik Charitable Trust
Publication Year1978
Total Pages275
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size150 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy