SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ 128 કલ્યાણમંદિર સ્તોત્ર આત્મા પિતાનું સ્થિરપણું બરાબર જાળવી રાખે છે અને દેહથી મુક્ત થયા પછી તે તેનું આવવાપણું જ રહેતું નથી. આમ પ્રભુની વાણુના સ્પર્શથી જીવમાં વિશિષ્ટ પ્રકારનું બળ પ્રગટે છે, જેમાંથી તે આત્માનંદને અનુભવી, અજરઅમર અવસ્થા પ્રાપ્ત કરે છે. આટલે બધે પ્રભાવ દર્શાવતી પ્રભુની વાણી પ્રગટે છે ક્યાંથી? આ કડીની પહેલી જ પંક્તિમાં આચાર્યજી પ્રભુની વાણીનું ઉદ્ગમસ્થાન આપણને બતાવી દે છે. તે સ્થાન છે ગંભીર હૃદયરૂપી સમુદ્ર”. પ્રભુના હૃદયને આચાર્યજી સમુદ્ર”ની ઉપમા આપે છે. સમુદ્ર જેમ તાગ કાઢી ન શકાય તે વિશાળ અને ઊંડે હોય છે, એવું જ પ્રભુજીના હદયનું પણ છે. તેમનાં જ્ઞાનની વિશાળતા કે ઊંડાણ, તેમનું હૃદય તપાસનારની સમજમાં આવી શકતાં નથી. વળી સમુદ્રમાં અમૂલ્ય રત્ન ઉત્પન્ન થાય છે, પણ તે રને સમુદ્રને ઉપરથી જ નિરખનારની દૃષ્ટિએ પડતાં નથી, અને તે રત્નો તે ભાગ્યવંત મરજીવાના નસીબમાં જ લખાયેલાં હોય છે, કે જે મરજીવાઓ સાગરના અંતઃસ્તલ સુધી પહોંચી તેની પ્રાપ્તિ માટે અથાગ પુરુષાર્થ કરે છે. આ જ પ્રમાણે પ્રભુજીના હૃદયરૂપી સમુદ્રમાં જ્ઞાનના અનુભવના નિચોડરૂપ રને પ્રગટે છે, પણ તે રત્નો સામાન્ય જી સમક્ષ પ્રગટ થતાં નથી, પણ જેઓ આત્મરત્નની ખેજમાં પ્રભુના સાનિધ્યમાં પિતાપણું મીટાવીને જાય છે, તેઓ આ રને પ્રભુની વાણી દ્વારા પ્રાપ્ત કરે છે. અર્થાત્ જેઓ આત્મરત્ન મેળવવા માટે સાચા મરજીવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036445
Book TitleKalyan Mandir Stotra
Original Sutra AuthorN/A
AuthorSaryu R Mehta
PublisherAsiatik Charitable Trust
Publication Year1978
Total Pages275
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size150 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy