SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ 120 કલ્યાણમંદિર સ્તોત્ર માત્ર ધર્મોપદેશ વખતની પળેની જ વાત કરે છે. જ્યારે જ્યારે પ્રભુની દેશના છૂટે છે, ત્યારે ત્યારે પ્રભુએ પૂર્વે કરેલી લેકકલ્યાણની ભાવના પ્રબળતાએ ખીલી હોય છે, તેથી તેનું સંપૂર્ણ ફળ એ અવસ્થામાં લેકોને પ્રાપ્ત થાય છે. આમ લેકે માટે કઈ પળે ઉત્તમ છે તેને નિર્દેશ અને તે ઉત્તમ પળેની ફલશ્રુતિ આ કડીમાં આચાર્યજી આપણને દર્શાવે છે. (19) चित्र विभो ! कथमवामुखवृन्तमेव विष्वक् पतत्यविरला सुरपुष्पवृष्टिः / स्वद्गोचरे सुमनसां यदि वा मुनीश ! गच्छन्ति नूनमध एव हि बन्धनानि / 20 ચારે દિશાએ દેવ જે પુતણ વૃષ્ટિ કરે, આશ્ચર્ય નીચાં મુખવાળાં ડીંટથી તે ક્યમ પડે? હે મુનીશ! અથવા આપનું સામીપ્ય જવ પમાય છે, પંડિત અને પુતળુ બંધન અમુખ થાય છે. 20 સમવસરણની રચના કરતાં પહેલાં, પ્રભુની દેશના છૂટવાની એંધાણ આપતાં, ઉલ્લસિત થયેલા દેવ તરફ પુષ્પની વૃષ્ટિ કરે છે, પુષ્પ વરસાવે છે, તે અતિશયનું લક્ષ કરાવતાં આચાર્યજી આપણને આ કડીમાં જણાવે છે કે, “હે વિભુ! સમવસરણને વિશે દેવતાઓ આપની તરફ જે પુષ્પની નિરંતર વૃષ્ટિ કરે છે, તે પુપોનાં ડીંટા (બંધન) આપની સમીપ આવતાં નીચાં મુખવાળાં થઈ જાય છે, એ ખરેખર આશ્ચર્ય છે! અથવા હે મુનીશ! તે યોગ્ય જ છે. કેમકે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036445
Book TitleKalyan Mandir Stotra
Original Sutra AuthorN/A
AuthorSaryu R Mehta
PublisherAsiatik Charitable Trust
Publication Year1978
Total Pages275
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size150 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy