SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ (310). જયાનંદ કેવળી ચરિત્ર જણાય છે કે “કુતાંતે ( વિધાતાએ) રતનને જ દ્રષિત કર્યા છે.” અથવા તે “મેઘથી ઢંકાયેલા સૂર્યની જેમ આ કોઈ દિવ્ય પુરૂષ વામનપણુએ કરીને ગુપ્ત રહેલો છે. આના ગહન સ્વરૂપને સર્વજ્ઞ જ જાણી શકે તેમ છે. " ઇત્યાદિક વિવિધ વાતોને લોકો પરસ્પર કરવા લાગ્યા. રાજાએ વિચાર્યું કે--“આ કન્યાઓની પ્રતિજ્ઞાને ધિક્કાર છે, નિંદિત કાર્ય કરનાર વિધાતાને ધિક્કાર છે, ન્યૂન કળાવાળા રાજકુમારોને ધિક્કાર છે, અને એ બાબતમાં આદેશ આપનારા મને પણ ધિકાર છે, કે જેથી રૂપવડે અપ્સરાઓનો પણ તિરસકાર કરનાર અને મને પ્રાણથી પણ વહાલી આ મારી ત્રણે પુત્રીને વામન વર થયે. કાને આરંભ જુદા પ્રકારે કર્યો હતો, અને તેને નિર્વાહ (પરિણામ) જૂદા પ્રકારે થયેલ. જે અસંભવિત હતું તે સંભવિત થયું. દેવને ઉલંઘન કરવા કોણ સમર્થ છે? કહ્યું છે કે–અવ શ્ય થવાના કાર્યોમાં પ્રતિબંધ રહિત એવી વિધાતાની ઈચ્છા જે દિશાએ દેડે છે, તે જ દિશાએ વાયુને જેમ તૃણ અનુસરે છે તેમ મનુષ્યનું ચિત્ત અવશ્ય અનુસરે છે.” તથા–“જે મને રથની ગતિને અવિષય હોય છે (જેને મનોરથ કોઈ વખત કર્યો હતો નથી), જેને કવિની વાણી સ્પર્શ કરી શકતી નથી, તથા જ્યાં પિતાની પ્રવૃત્તિ પણ દુર્લભ છે, તેવું કાર્ય વિધાતા લીલામાત્રમાં જ . આ વિચાર કરી ચિંતાતુર થયેલા રાજાએ કળાગુરૂને પૂછ્યું કે “આ વામન કોણ છે? તેને કો દેશ છે? અને તેનું કયું કુળ છે? તે મને કહે.” કળાચાર્યે કહ્યું કે-“લગભગ એક માસ પહેલાં આ વામન મારી પાસે આવ્યું, ત્યારે મારા પૂછવાથી તેણે કહ્યું ત્રિયપુત્ર અહીં કળા શીખવા આવ્યો છું.” આથી વધારે એનું સ્વરૂપ હું જાણતા નથી. તેની પાસે દિવ્ય અલંકારે છે, તે દાન પણ તે વખતે તે તે પિતાની મૂર્ખાઈ જ દેખાડતે હતો. આટલા વખત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036444
Book TitleJayanand Kevali Charitra
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1927
Total Pages595
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size538 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy