SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ 153 ચંદન વૃક્ષ પ્રમાણે, તેણીની પાસેથી મોટા પુરૂષે દુર રહેવું. જેની ફકત કુરમુદ્રા જોઈ મનુષ્ય ને વિશ્વાસ ઉઠી જાય, એવી વાઘેણ સરખી ભયંકર સ્વરૂપની આ વેશ્યાઓ એમની પાસે પ્રેમ કેવો હોય? આ વેશ્યાઓ સાપ પ્રમાણે બીજાને ખાઈ નાખવામાં હોશિયાર, દેહથી માત્ર સરળ, પરંતુ સ્વભાવથી વાંકીજ. વેશ્યા સાથેનો સમાગમ, કુલીન માણસને શરમ અને તેમના ગુણોને ડાઘ લગાડનાર છે. મોટાપણું, નિર્મળ કીર્તિ, અને ગુણો, જ્યાં સુધી વેશ્યાને સંગ નથી ત્યાં સુધી જ રહે છે. ત્યારે મેં ફરી કહ્યું “પ્રભુ, આપે આ વેશ્યાનું જે સ્વરૂપ કહ્યું, તે યથાર્થ છે, આમાં જરા પણ ખોટું નથી. પરંતુ કાર્ય સાધનાર મનુષ્યને દેશકાળ તરફ નજર કરી લોકો સાથે વિરૂદ્ધપણે ન વર્તતાં, અનુચિતને એવાં કાર્યો પણ કરવાં પડે છે. શત્રુને જીતવાનું કાર્ય આપણને સાધવાનું છે, અને તે કઈ પણ ઉપાયથી જ સાધવાનું છે, તે ઉપાય જડવાને કેટલા દિવસ લાગશે? શી ખબર ! પ્રભુ, નિષ્કપટ પ્રેમથી આપણને તદૃન વશ થએલી આ વેશ્યા વગર, અહિંના સર્વ લોકો આપના અહિતમાં રાજી છે. (માટે) નિર્ધાસ્ત અંતઃકરણથી જયપતાકાને ઘેરે રહિ નરસિંહ રાજાને જીતવાને ઉપાય કરો. આમ કરવાથી તેના બોલવાને માન આપ્યા પ્રમાણે થશેઅને તેની ઈષ્ટ વાત કરવાથી આપણું ભલાઈ પણ રહેશે. મારા પર મહેરબાની કરી, અને તેણી પર દયા કરી અનુચિત એવું આ ચરણ પણ કર એમ બોલી પગે પડયે, પછી મારા આગ્રહથી કાર્ય સિદ્ધિ તરફ નજર આપી વિચારી વીરસેને તે સર્વ વાત કબુલ રાખી. પછી મેં હળવે રહીને તેના કાનમાં કહ્યું કે, તું જા, જરા રહીને વીરસેન પણ આવશે.” તે ઘેર ગયા પછી રાજપુત્ર પણ છદ્રને નમસ્કાર કરી મારી સાથે આકાશ માર્ગે ઉડ. દષ્ટીને ભુલાવનાર એવી મારી વિદ્યાના ગે કરી કેઈની પણ નજરે ન પડતા રાજપુત્ર તેને ઘેર પહોંચ્યું. સ્નાન વગેરે કૃત્યો માંથી પરવારી દિવાનખાનામાં પેશી ત્યાં સર્વમાન દેવ પ્રમાણે જયપતાકાની સાથે રહે. અણુ તરફ પિલી રાક્ષસીઓને આકાશમાં જોઈ નરસિંહરાજા પિતાના સૈન્ય સહ બહાર પડયે. જેશીને આગળ કરી કે ધથી લાલચેળ થઈ નરસિંહ રાજાએ વાસુપૂજયમંદિરની આસપાસ સાત ફેરા ફર્યો, તે મંદિરની બહાર તથા અંદર બારીકીથી તપાસ કરતાં શત્રુ ન જડે ત્યારે તે જેસીને કહ્યું “કેમ શી? તે અમને ફસાવ્યા કે કેમ? જો–મહારાજ, જે વખતે આપે મને પૂછ્યું, તે વખતે વીરસેન આ સ્થળે હતે એમાં સંશય નથી.) રાજા–જોશી, હજુ કાંઈ પણ ખરૂં બોલ. (કે જયાં સુધી વધના અધિકારીઓને તારો વધ કરવાનો હુકમ આપે નથી. એટલામાં પેલી રાક્ષસીએ આકાશમાંથી નીચે ઉતરતી તેમની નજરે પડી. તેને મને જોઈ રાજાનું સૈન્ય બીકથી ડરી દીન થઈ ગયું. ભયંકર સ્વરૂપની તે રાક્ષસીઓ 20 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036440
Book TitleHari Vikram Charitra
Original Sutra AuthorN/A
AuthorBhagubhai F Karbhari
PublisherJain Patra Office
Publication Year1907
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size247 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy