SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ 139 - તે શિવ ભકત આટલું બેલી અટક, એટલે મેં મનમાં વિચાર કર્યો કે, “મારી સમક્ષ નહીં બોલેલા આ ગુરૂનાં વચને ખરાં છે એમ શા ઉપરથી! હું એ વિચાર કરું છું એટલામાં તે શિષ્ય ગુરૂને કહ્યું કે, હે ગુરૂ, આ પુરુષ કે ?" મહારાજ, તે વખતે મને એમ લાગ્યું કે, હવે જે તે મારા મિત્રનું નામ કહેશે તે તેના વચને ખર હશે. શિવભકત--આનું નામ બંધુદત્ત, અને જગપ્રસિદ્ધ જે વીરસેન ક્ષત્રિય છે તે એને મિત્ર છે. માહારાજ એ સાંભળી હું અતિશય હર્ષ પામ્યા, અને તે મઠના બારણામાં પથારી કરી જરા વિસામે લેવા લાગ્યા. ઘણા ભાષણ કરી તે બંને મોડી રાતે સુતા, હે રાજા, તે પછી બે પહોર રાત્ર વીતિ ગઈ. દેવને અને ગુરુને નમસ્કાર કરી હું ત્યાંથી નીકળ્યા. આના આગળની હકીક્ત વિદ્યાધર પાસેથી મહારાજ આપે સાંભળી જ હશે. વીરસેન-હે મિત્ર, તે સારું કર્યું. એગ્ય વખતે પરાક્રમ દેખાડી મારું સર્વ કાય તે સાધી આપ્યું. આ પ્રમાણે બંધુદત્ત કુમાર સાથે વાત કરે છે, એટલામાં આકાશ માર્ગ પુરે થઈ નાશિકય નગરને બાગ આવી પહોંચ્યા પ્રથમથી મોકલેલા ચંદ્રપીડે વિ. ચિત્રયશ રાજાને કુમાર આવ્યાના વર્તમાન કહ્યા હતા. નગરના લોકો રાજાની આજ્ઞાની રાહ ન જોતાં, કુમારના પ્રત્યે તેમને પ્રેમ હોવાને લીધે નગરને શણગારી મુકયું હતું. તેરણાના યોગથી તે શહેર પહેલા જાણે દુઃખાગ્નિથી દગ્ધ થએલ, હવે મેઘ આવતાજ જેમ વન નવીન પલ્લોથી શોભી ઉઠે છે, તેવી રીતે શોભાયમાન થયું હોય એમ દેખાવા લાગ્યું. પછી સર્વ નેકર, ચાકર વગેરે મંડળી, જે કુમારના વિયેગથી દુખિત થઈ હતી તેમને રાજાએ બેલાવી કુમારની સામે ગયા. આ સર્વ મંડળ આવી પહોચેલું જોઈ કુમાર ખેચર સાથે અશક અને શેખર એમની પછવાડે વિમાનમાંથી ઉતર્યો. ચંદ્રશ્રીને પ્રથમ આગળથી ઉતારી, પછીથી બંધુજીવા વગેરે વિદ્યાધર સિયે ઝપાટાથી ઉતરી કમારે ચંદ્રશ્રી સહિત, વિસ્મય પામેલા રાજા પાસે દેડતા જઈ તેના ચરણને ઘણું પ્રેમથી વંદન કર્યું. પછી રાજાએ કુમારને ઉઠાડી આલિંગન આપ્યું. કુમારના કહેવાથી તે બંને વિદ્યાધર હતા. (અશેક અને ખેચર ) તે પ્રત્યેકને રાજાએ નિર્વિકલ્પમનથી આલિંગન આપ્યું. શુદ્ધ વર્તનવાળી ચંદ્રશ્રી મેટા પ્રેમથી નમસ્કાર કરવા લાગી તેના કપાળે લાગેલી પિતાના પદ કમલની માટી સુશોભિત દેખાવા લાગી. તે ચરણપર માથું મુકી રડવા લાગી, અને વિરહ દુઃખથી બહુ અશક્ત થએલી, એવી સ્થીતીમાં તેણીને માએ આલિંગન આપી પિતાના ખોળામાં બેસાડી, પછી રાજાએ વીરસેન વગેરેને યોગ્યતા પ્રમાણે બેસવાને જગા આપી મોટા સ્નેહથી તેની સાથે ભાષણ શરૂ કર્યું. કુમારે સર્વ વર્તમાન કહ્યા પછી રાજા એ શહેરમાં જવા સારૂ હાથી મંગા. જેના પર છત્રિ ધરેલી છે, અને જે હાથી પર બેઠેલે છે એ તે કુમાર શહેર P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036440
Book TitleHari Vikram Charitra
Original Sutra AuthorN/A
AuthorBhagubhai F Karbhari
PublisherJain Patra Office
Publication Year1907
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size247 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy