SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ તરફ ચાલ્યોઅર્શક અને શેખર તેના પર ચમરીઓ ઉડાવવા લાગ્યા. માતા બંધુ જીવા વગેરે ઘણી સ્ત્રીયોથી વીટળાએલી તે ચંદ્રશ્રી નગરમાં જવા સારૂ તે વિમાનપર બેઠી. બીજા નગરવાસી વિદ્યાધર લોક પિતાના વાહનો પર બેશી ઉતમ પિશાક પહેરી કુમારની પછવાડે ચાલવા લાગ્યા, ચોઘડીયાં, સરણાઈ વગેરે વાઘાથી, અને સ્તુતિપાઠક લોકેના, હાહાકારથી, વાજતે ગાજતે તે કુમારને શહેરના દરવાજા સુધી લાવ્યા.. આ રસ્તેથી રાજકુમાર જશે માટે તેને જોવાના હેતુથી નગરવાસી લોકેની સ્ત્રી પોતપોતાના બંગલા પર ઉંચ સ્થળે ચઢીને બેઠી હતી તે રાજકુમાર જેમ જેમ પાસે આવતે ગયે, તેમ તેમ રાજ્ય રસ્તામાં લોકોની ભીડ વધારે થવા લાગી.. વીરસેનને જોવાની ઇચ્છાથી કેટલીક સ્ત્રીએ, બંદીખાના પ્રમાણે ઘરને, શત્રુ પ્રમાણે પતિનો અને સતી પ્રમાણે ગુરૂનો ત્યાગ કર્યો. તે પાસે આવતાજ આગળના લોકોને જેમ આનંદ પ્રાપ્ત થતા, તેમજ બીજી બાજુએ રસ્તો છેડી ગએલાને, અને પછાડી બેઠેલાને પશ્ચાતાપ થવા લાગ્યો. સ્ત્રીયોનાં ટોળે ટોળા જેવાને વાતે એકઠાં મળ્યાં હતાં તથા તેઓ નીચે પ્રમાણે સંવાદ કરતા હતા. એક જણ બોલી “બેન, આ તારો ચમત્કાર છે, જેની, બીજા કોઈને જેવા દેવું નહિ, અને મારી આગળ આવી ઉભી રહે છે. હે, સખી, અહિં બેસવું એ ફતેહનું કામ છે, કોઈ પણ દુબળે અહિં બેસવું નહિ. આ જ મારી અગાડી આવી મને ધકકો મારી કુમારને જુએ છે. - એક પુરૂષે પોતાની સ્ત્રીને કહયું “અરે દેખાતું નથી એટલા માટે દુઃખી શા વાસ્તે થાય છે ? એમ કહી તે પુરૂષે પોતાની સ્ત્રીને તેના ખભા પર લીધી વળી એક પુરૂષ પોતાની સ્ત્રીને કહેવા લાગ્યો “અરે ચંડાલણી તું મજા જોતાં જોતાં છજામાંથી પડી જઈશ. અરે નિર્દય. સ્ત્રી, તારા હાથમાંથી છેકરું પડયું તે પણ તને ખબર નથી ? કેટલીક સ્ત્રી અંદર અંદર બોલવા લાગી. “બેન, જે. કેટલી નવા ઈની વાત? કે બળવાન શત્રુને પણ કુમારે પોતાના ચાકર બનાવી દીધા છે, સખી, જે મોટા વિમાન પર ચંદ્રશ્રીને નસાડી લઈ ગયા હતા, તેજ વિમાનમાં તે વિદ્યાધના. મધ્ય ભાગમાં બેસી જાય છે, સખી, આ આશ્ચર્ય છે કે પ્રથમ જેણે બાગમાંથી ચંદ્રશ્રીને નસાડી હતી, તેજ આ અશોક છે હો, આ લેકમાં સર્વે તરૂણીયોની અંદર ચંદ્રશ્રીજ વખણાય છે. સખી તેનેજ વીરસેનની ગૃહિણી એવું પદ મળવાનું છે, વીરસેનને જોવા વાસ્તે આતુર થઈ ગાંડી બની ગએલી એવી નગરવાસીઓની અનેક સ્ત્રીને સંવાદ ચાલતો હતો. ઠેક ઠેકાણે ગાન તાન, જેતે જાતે આનંદથી મંગલ વસ્તુથી શોભાયમાન થએલા એવા રાજમહેલમાં તેણે પ્રવેશ કર્યો, રાજા પિતે સિંહાસન પર બેઠે, અને પછી અશોકાદિ ખેચરો સહિત કુમારને બેસાડયા. રાજાને આદર પૂર્વક યથાયોગ્ય જગા આપી બીજા વિદ્યાધરને પણ બેસાહંયા. ચંદ્રશ્રી અને બંધુજીવા એમને સાથે લઈ વિજયવતી રાણી આનંદ યુકત મનથી રાજમહેલના જનાનખાનામાં ગઈ તે પછી રાજાએ પુણ્યગે વીરસેનની સામગ્રી ભેગી થએલી જોઈ બોલવાને આરંભ કર્યો. : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036440
Book TitleHari Vikram Charitra
Original Sutra AuthorN/A
AuthorBhagubhai F Karbhari
PublisherJain Patra Office
Publication Year1907
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size247 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy