________________ પણ આપણી કોય મર્યાદાને લીધે તે કામ ઉપાડ્યું નથી. બાકી, આજે જે કાર્ય કરે છે તેમાંનાં અઢાર તે ગામનાજ છે. તે પૈકીના પચાસ ટકા તો એક વખતે તોફાની અને ભારાડી હતા. પછી એમાંના સરપંચ થયા. એમ કરતાં કરતાં ગામનું તંત્ર પણ ઠીક થયું. . . . . - શાળામાં બાળકો વચ્ચેના પ્રશ્નો બાળક જ પતાવે છે રંજાડ; ચોરી વગેરે પ્રશ્નો બાળકો બાળકો વચ્ચે આવેજ છે, પણ તેને નિકાલ માંહોમાંહે પતાવી લે છે. તેથી એક તરફ તે ન્યાય કરવાની, વ્યવસ્થા સાચવવાની તેમજ વ્યવસ્થામાં રહેવાની જવાબદારી શીખે છે, સાથે બીજી તરફ ઘડિયાળ ન રાખવું–મોજશોખ ન કરવા વગેરે ગુણે પણ આર્પોઆપ આવ્યા છે. કારણ કે, જે ચીજ જાય તેની જવાબદારી સૌએ ઉપાડવાની હેય છે. ટૂંકમાં છોકરાઓજ નિયમો ઘડે છે અને વ્યવસ્થા કરે છે. અલબત્ત ગામમાં આવું ચાલતું નથી. બાળકોમાં સડે ઓછો હોય છે. એ તરત માની જાય છે અને સુધરી જાય છે. જ્યારે ગામમાં અનિષ્ટો વધુ અને ઊંડા ઘર કરેલાં હોય છે. આથી કયારેક ચોકી રાખવી પડે છે, સામાજિક દબાણ પણ લાવવું પડે છે. પણ આ બધું અદરની વાત્સલ્ય ભાવનાને લીધે જ. એક પ્રસંગમાં પિલીસને પણ લાવવા પડેલા. એક છોકરા રીઢે તોફાની થઈ ગયેલો. તે કઈ રીતે ન માને એટલે તેને પોલીસ આગળ માત્ર બે-ત્રણ કલાક બેસાડ્યો. ગામેજ આ કાર્ય ગોઠવેલું પણ મારે તે પ્રસંત થવું પડેલું. એ છેક નહાવા જતાં છોકરાંઓને પાણીમાં ડૂબકી મરાવી ગુંગળાવતો હતો. પિલિસ ચેકીમાં બેસાડતાં તેને લાગ્યું: “પોલિસ છે ખરી!” ત્યારે તે ત્યાં રે. બધાની માફી માંગી અને “હવેથી નહીં કરું.” એવી કબૂલાત આપીને ટો થયો. પછી તેનામાંથી એ આદત સદંતર ચાલી ગઈ. ટુંકમાં આ નાના ક્ષેત્રમાં સફળતા મળી એટલે ખાતરી થઈ ગઈ કે આ ત્રણ વસ્તુથી અહિંસક સમાજરચના થઈ શકે ખરી. . નિસ્વાર્થ-સેવાના બીજા દાખલાઓ , ' , છે. પૂજાભાઈએ નિર્વ્યાજ-વાત્સલ્યના બે દાખલા ટાંક્યા. એક તેમને પોતાને હતો. તેમણે કહ્યું :- P.P. Ac. Gunratnasuri M. Jun Gun Aaradhak Trust