________________ મારી સાથે ચાલીને તેમને , હું કર એમ કર માત્ર મારે ત્યાં છે લાગ્યા. તો વિચિત્ર મગજના હતા. એક અળખામણો હતો ને બીજો રીસાતો હતો. * ત્રીજે હતો મારકણે. એની મા મરી ગયેલી અને બાપ હતો પોલિસ પટેલ. બાપે દીકરાને કહી રાખેલું. “મારી પાસે તારે ફરિયાદ લઈને ન આવવું. તારી ફરિયાદ ભલે બીજા લોકો લાવે !" એટલે તેને હાથ બહુ ઉપડતો. એ છોકરો ચોરી કરતો હતો. ચોરે વાત થયેલી મે છોકરાઓને કહ્યું : “ચાલો મારે ત્યાં!” છોકરાઓ ગભરાયા. મેં કહ્યું: “ગભરાઓ નહીં! આપણે વાત કરશું.” છોકરાઓ મારી સાથે ચાલ્યા. પહેલાં તે ખૂબ ડરતા પણ હું વાર્તા સિવાય કાંઈ નથી કરતો જાણીને તેમને ડર ઓછો થયો. હું વાર્તા કરૂં અને છોકરાઓને ગમે એમ કરતાં કરતાં રાત્રે મારે ત્યાં સુવા પણ લાગ્યા. મેં તે નિર્ભી જ વાત્સલ્યને પ્રયોગ આદર્યો. ધીમે ધીમે એ છેકરાઓ શા માટે બદનામ હતા તે પણ જાણી લીધું. લોકોએ મળીને તેમને ખૂબ માર માર્યો હતો તે પણ જાણ્યું. એ છોકરાઓમાં એક કુટેવ હતી. છેકરીઓ જાજરૂ જાય તેની પાછળ જતા. છોકરાઓ નાના હતા અને બાળક કેમ જન્મે તેની જિજ્ઞાસા તેમને હતી. આ જિજ્ઞાસાએ તેમને ગામમાં બદનામ કર્યા હતા. મારી પાસે છોકરાઓએ સહેજ સંકોચ સાથે આ વાત કરી. બાળમાનસ ઉપર કેવા વિચિત્ર સંસ્કારો પડેલા હોય છે, તેને આ દાખલો છે. એકવાર એક “ગા”ને વાછરડું જન્મતું દેખાડયું એટલે તેમની કુતૂહલવૃત્તિ શમી ગઈ અને પેલી કુટેવ ભૂલી ગયા.' એ ચાર છોકરાઓમાંથી ત્રણને તે “મા”નું વાત્સલ્ય જ મળ્યું ન હતું. મારા વાત્સલ્ય પ્રયોગમાં તેમને તે અહીં મળ્યું. પાછળથી એ જ છોકરા પૈકીના આજે ત્રણ તે સારા કાર્યકર્તા થયા છે. ત્યારબાદ ગામે રાજ્ય પાસે નિશાળ માંગી; જે રાજ્ય આપી. આજે 2 થી 10 સુધીની શાળા ચાલે છે. * અલબત્ત બહેનોમાં આથીયે વધુ સફળતા મળે એમ લાગે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust