________________ -અવતાર છે અને એ શકિતને જગાડવી જોઈએ. તેમણે સંકલ્પ કર્યો -અને તેઓ શારદામણિ દેવીને માતા રૂપે માનવા લાગ્યા. તેમણે માતાની એવી ઉપાસના કરી કે બધા વિકાર ઉપર કાબુ મેળવ્યો અને દરેક સ્ત્રીને તેમણે માતા રૂપે નિહાળી. એકવાર તેમની પરીક્ષા કરવા માટે દશ વેશ્યાઓને તેમની પાસે મોકલવામાં આવી. તેમણે બધાં વસ્ત્રો કાઢીને તેમની આગળ નૃત્ય કર્યું. ત્યારે રામકૃષ્ણ કહ્યું : “અરે માતાઓ ! આ બાળકની આવી પરીક્ષા શા માટે કરે છે ? એકવાર તેમનામાં રહેલ ઉત્કટ વાત્સલ્યતાના કારણે તેમના સ્તનમાંથી પણુ દૂધ નીકળ્યું હતું. માતજાતિમાં વાત્સલ્યતાને ઝરો અખંડ રહે છે એટલે તેનાં સ્તનમાંથી લોહીનું પરિવર્તન થઈને દૂધ નીકળે એ સ્વાભાવિક છે પણ વાત્સલ્યતાની પરાકાષ્ઠા પુરૂષોમાં હોય તે તેમનું લોહી પણ દૂધ બની - શકે છે એ ભગવાન મહાવીરના દાખલા પરથી ઉપરથી જાણી શકાય છે. ભગવાન મહાવીર ચંડકૌશિક સપને પ્રતિબોધ દેવા જાય છે ત્યારે ચંડકૌશિકસર્પ ભગવાનને ડરે છે. તે વખતે તેમના અંગૂઠામાંથી લોહીના બદલે દૂધ વહે છે. કેટલાક લોકો એને હસી કાઢે છે પણ ઉત્કટ વાત્સલ્યના પ્રતાપે પુરૂષ સ્તનમાંથી દૂધ નીકળે તે વાત્સલ્ય પ્રેરિત લોહીનું દૂધ બનીને અંગૂઠામાંથી ધાર રૂપે વહે તે અશક્ય તો નથી જ. - માતાની ઉપાસના કરનાર મહાત્મા ગાંધી પણ હતા. તેમણે - બ્રહ્મચર્ય ધારણ કરતાં પોતાની પત્ની કસ્તુરબાઈને “કસ્તુરબા” (માતા) - કહ્યા. પૂજ્ય મુનિશ્રી સંતબાલજી 3 મિયાની ઉપાસના જૈન દૃષ્ટિએ કરે છે. જૈનધર્મમાં ગુણપૂજાને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે. પિતાના - આત્માને વિકાસ જાતે પોતાના પુરુષાર્થ વડે સાધવાનો હોય છે. ' તેને અનુરૂપ વિકાસ સાધી વિશ્વની માતા બનવાનો સંકલ્પ કરે છે. સકળ જગતની બની જનેતા, વત્સલતા સહુમાં રેડું” એવા કોડ સેવે છે. અરવિંદની માતૃ ઉપાસનામાં, માતાને એક વિશિષ્ટ અને પિતાનાથી ઉચ્ચ માનીને સાધના કરવાની હોય છે ત્યારે સંતબાલજીની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust