________________ કોઈ પણ સમાજ, ધર્મ કે દેશ આગળ વધી શકે, ક્રાંતિ કરી શકે કેસુખપૂર્ણ જીવનનું નિર્માણ કરી શકે એ માનવું વધારે પડતું છે. એવી જ રીતે જગતના બધા ધર્મો, જાતિઓ, પક્ષો, વાદે, વિચારધારાઓ, રાષ્ટ્ર, પ્રાંતો, વિદ્યાઓને તેમની કક્ષાએ ન્યાય આપવો જરૂરી છે. કેવળ “હું” સાચે અને બીજા ખોટા એનાં કરતાં દરેક : શુભ વસ્તુઓમાં–જે સત્ય રહેલું છે તેને તાગ મેળવવો એ વધારે શ્રેયકર છે. આ સાચો ન્યાય ત્યારે જ મળી શકે જ્યારે આત્મીયભાવ, હોય ! " મૈયા ના બીજમંત્રથી એ આત્મીયતા સાધી શકાય છે. હવે એ વિચારવાનું છે કે " મૈયા”ની ઉપાસના કઈક નવીન છે કે અગાઉ પણ તેની ઉપાસના કરનાર ઉપાસકો થઈ ગયા ? એ ઉપાસના પ્રાચીન કાળથી ઋષિ મુનિઓ જંગલમાં શકિતઓને આહ્વાન, કરતાં ત્યારથી ચાલી આવે છે. અને હજુ પણ ઉપાસકો તેની ઉપાસના કરે છે. એવા કેટલાક ઉપાસકોને જોઈએ. - આજના યુગમાં થઈ ગયેલા યોગી અરવિંદની માતાની ઉપાસના સુપ્રસિદ્ધ છે. તેમણે વિશ્વને માતા ગણ; તેને ભગવતી માની ઉપાસના કરી અને બીજાને કરવાનું સૂચવ્યું છે. તેમણે કહ્યું છે કે “વિશ્વમાતાની. પ્રેરણાથી ચાલો અને દરેક કાર્ય (પ્રવૃત્તિ કે નિવૃત્તિ) કરો. માતાની આગળ તમારું હૃદય તમે ખુલ્લુ કરી દો ! એ તમને બધી રીતે પવિત્ર રાખશે; પવિત્રતાનું બળ આપશે તેમજ તમારે વિકાસ સાધશે !" : 3. મૈયા ઉપરની એમની શ્રદ્ધા કેટલી અડગ હતી તે સહુ જાણે છે. અને આજે શાંતિના ઉપાસકો માટે અરવિંદ આશ્રમ એક સ્પર્ધામ જેવું ગણાય છે. એવી જ રીતે રામકૃષ્ણ પરમહંસે પણ માતાની ઉપાસના કરી છે. તેમનાં લગ્ન શારદામણિ સાથે થયાં કે તેમણે વિચાર કર્યો કે તેનામાં એક મહાન શકિત પડેલી છે. એને મારે ઉપભોગ ન કરવો જોઈએ પણ એ ઉપયોગ કરવો જોઈએ. સ્ત્રી એ જગદંબાને. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust