________________ * આવી છે. અને સાધુના સંયમનું માતાની જેમ રક્ષણ કરનારી પાંચસમિતિ (ઈર્ષા, ભાષા, એષણ, આદાનનિક્ષેપ, પરિઝાપના) અને ત્રણ ગુણિને (મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ) એ બનેને આઠ પ્રવચન માતા બતાવવામાં આવી છે. આ આઠેય માતાઓ નિવૃત્ત કે પ્રવૃત્તિમાં કોઈને કઈ તરફ નિયંત્રણ રાખનાર શકિત છે અગર તો સાધકના સંયમની સુરક્ષા રાખનારી હોવાથી પ્રવચનસ્ય દ્વારા સ્થ તાધારસ્થ વા સંઘસ્ય માતર રૂવ પ્રવચન માતર: પ્રમાણે બાર અંગો રૂપ પ્રવચનેની અગર તે તેના આધાર રૂપ સંઘની માતાની જેમ હેવાના કારણે તેને પ્રવચન માતા કહેવામાં આવી છે. એની વિશેષતા બતાવતાં, ઉતરાધ્યયન સૂત્રમાં કહ્યું છે - __ एया पवचन माया जे सम्म आयरे मुणी / सो खिप्पं सव्वसंसारा विजमुच्चइ पंडिए // –આ પ્રવચન માતાનું જે મુનિ સમ્યક પ્રકારે (સખ્યત્ર અવિરતેજ ન તુ હંમવિના) આચરણ કરે છે–એટલે કે સાચી પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરે છે તે પંડિત વહેલી તકે સંપૂર્ણ સંસારને અપાવે છે અને મુક્ત થાય છે. વૈદિક ધર્મના એક ભાગ રૂપે–ભાગવતધર્મમાં ગુણપૂજાના સ્થળ પ્રતીક રૂપે વિવિધ શકિતઓ–દેવીઓને બતાવવામાં આવી છે. જેમાં મુખ્યત્વે જગદંબા, માતા ભવાની, બ્રહ્માણ, કાલી, દુર્ગા વગેરે છે. તેને ભગવાનની કર્તવ શકિત રૂપે બતાવવામાં આવી છે. એટલે મૈયાનો અર્થ જગદંબા વગેરે શક્તિઓ પણ થાય છે. જૈનોએ પણ ઋષિમંડળસ્તોત્રમાં એ દેવીઓ અને શકિતઓને લીધી છે. મૈયાને ભગવતી અહિંસા રૂપે પણ લઈ શકાય છે. પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં “તે રઘુ મજા” કહીને સત્યને નિશ્ચય રૂપે ભગવાન બતાવવામાં આવે છે તેવી જ રીતે અહિંસાને પણ “સા સા મવર્ક મા ના સા રમવામિત્ર, સટાં” કહીને ભગવતી રૂપે વર્ણવી છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust