________________ ચોરી નાની હતી પણ એના પિતાએ એ છોકરાને ખૂબ માર્યો. બીજે દિવસે આવેશ શમ્યો ત્યારે તેણે બાળકને કહ્યું : “બેટા ! મારું હૃદય રડતું હતું અને હું તને દંડ આપી રહ્યો હતો. તે એટલા માટે કે સમાજમાં આવો દોષ વ્યાપક ન બને !" દેવજીભાઈએ એક ગરીબ મજૂરી કરનાર બહેનનો દાખલો આપ્યો. એકવાર તેના દિકરાએ એક વાણિયા પાસેથી બે વાર દૂધના પૈસા લીધા તેથી તેણે દીકરાને ખૂબ માર્યો ખરે પણ છેવટે છોકરાને પ્રેમથી સમજાવ્યો પણ ખરે. ન્યાય નિષ્ફરતાની મર્યાદા . - ડે. મણિભાઈએ વાત્સલ્યમાં ન્યાયમાટે નિષ્ફરતાની મર્યાદા અંગે પ્રશ્ન કર્યો કે તે ક્યાં સુધી હેવી જોઈએ? પૂજાભાઈએ એક રબારીને દાખલો આપતાં કહ્યું: “તેણે પિતાના ખૂની પુત્રનું જે સત્ય હતું તે અદાલતમાં કહી દીધું અને દીકરાને ફાંસી મળે તો તેની પરવા ન કરી. આ રીતે સત્ય અને ન્યાય આકરજ છે. માટલિયાએ કહ્યું : “દરેક વ્યક્તિ ન્યાય તોળવા બેસે તે ભૂલ થવાને પૂરો સંભવ છે. બીજું ન્યાયને નામે પણ અહિંસાને જ આગળ ધપાવવી જોઈએ, હિંસાને નહીં. બ્રહ્મચારીજી તેમજ દેવજીભાઈએ જે જે દાખલા આપ્યા તેમાં ભારને પ્રધાનતા ન આપવી જોઈએ પણું સમાજમાં ‘સદાચાર ફેલાવવાના હેતુને આપવી જોઈએ. શારિરિક દંડ કે ઊંચી સજા તો માત્ર રાજ્યના હાથમાં રહે તેજ એના ઉપર અંકુશ રહેશે, નહીંતર તેને દુરૂપયોગ થવાને વધુ સંભવ છે.” ન છૂટકે થતી હિંસાને બદલે વાત્સલ્યથી જ ચૂકવો જોઈએ પૂજાભાઈએ જાપાન અને જર્મનીના જાસુસનો પ્રસંગ ટાંકતાં કહ્યું: “એક વાર એક જર્મન જાસુસે અગત્ય જણાતાં એક જાપાની જાસુસને ગેળી મારીને ઠાર કર્યો. લડાઈ પતી ગઈ પછી તેણે એનું નામ શોધી; P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust