SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ કે મેં સહેજે કહ્યું : “રામ રાખે એને કોણ ચાખે " અને કોણ જાણે કેમ તે વાત પડકાર કરનાર હૈયાને લાગી ગઈ. તે ચાલ્યો ગયો. ત્રીજી વખત મારાં ગાડાની પછવાડે હવા છતાં, મને ન માર્યો. તેમાં કોઈ અજ્ઞાત શકિત જ કામ કરતી હેવી જોઈએ. ' આવવાનું છે.” રસિકભાઈને તે વાતની બાતમી પહેલેથી જ મળી ગયેલી પણ મારા પત્રની નકલ પિલા બહારવટિયાઓના હાથમાં આવી ગઈ. ગરાસિયાઓ મને ચેતવવા આવ્યા. કાપૂવાંકના સસરા વાજસૂરવાળાએ પણ અમને ચેતવ્યા; છતાં નિસર્ગની દયા હતી; અને કંઈ ન થયું. બે ખેડૂત સંમેલનો થયાં. તેમને તેડવા બહારવટિયાઓએ વિચાર કરેલો પણ એક ભાઈને (મેહનલાલ મોતીચંદ) આ ખૂનરેજી થવાની ખબર પડતાં રાજ્ય લશ્કર ગોઠવી દીધું. આ બધા ઉપરથી લાગ્યું : " જગતમાં અવ્યકત શકિત કામ કરે છે; મદદ પણ કરે છે. બધા અનુભવો ઉપરથી વાત્સલ્ય વિકાસની પદ્ધતિમાં મને ત્રણ વસ્તુ ત્રિવેણુ રૂપે અગત્યની લાગી :- (1) સ્નેહપૂર્ણ વહેવાર (2) વિશ્વાસપૂર્વક ગતિ અને (3) જાન, માસ, શીલ અને વ્યવસ્થાની સામાજિક સલામતી. વાત્સલ્ય વિકાસનો પ્રારંભ ઘરથી શ્રી પુંજાભાઈએ ભક્ત જલારામને દાખલો આપતાં કહ્યું કે તેમના વાત્સલ્યનું ઝરણું પહેલાં ઘરથી કૂટે છે, પછી તો પરબ, દાળિયા અને પછી આવેલા ભૂખ્યાતરસ્યાને રોટલી-દાળ આપી સદાવ્રત શરૂ કર્યું. તેમાં એક બાજુ સમાજ તેમને આપતો ગયે તો બીજી બાજુ તેઓ સમાજના જરૂરતમંદોને નિઃસ્પૃહભાવે આપતા ગયા. આ રીતે વાત્સલ્યને વિકાસ તેમણે સમાજ સુધી સાધ્યો. વાત્સલ્યમાં નિષ્ફરતા અને પ્રેમ બને હોય છે ત્યારબાદ બ્રહ્મચારીજીએ કહ્યું : “એક બાળકે ચોરી કરેલી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036434
Book TitleDharmanubandhi Vishva Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Mataliya
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size242 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy