SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ માટલિયાએ જવાબ આપતાં કહ્યું : “ફળે બીજાને નાશ કર્યો કે ફળ પાકી જતાં બીજે ફળને નાશ કર્યો. આમાં વાત્સલ્ય ગણાતું હોય તો ઉપરની વાતમાં શા માટે ન ગણાવું જોઈએ. પૂંજાભાઈએ કહ્યું : મળીને વ્યવસ્થા માટે જાળાંઝાંખરાં સાફ તે કરવાં જ પડે ને ! ટુંકમાં સમાજનાં મૂલ્યો માટે, અંગત હેતુથી. નહીં, તેમ રાગદ્વેષ રાખ્યા વગર, સમાજની કક્ષા પ્રમાણે સશસ્ત્ર સામને કરવો પડે તોય “વિશ્વ વાત્સલ્ય અને બાધા નહીં પહોંચે ! એટલું ખરું કે એ અરાગ અને અષની અસર તત્કાળ નહીં તો બીજે જન્મે પણ જેને માર્યો હોય એને પણ પહોંચી વળવી જોઈએ. એ રીતે જોતાં રાવણ અને વાલી બનેને રામ ઉપર પ્રીતિ અંતકાળે થાય જ છે, તેમ કંસને થતી જણાતી નથી. જો કે કંસ તે જાણી જોઈને આક્રમણ કરવા જતાં જ મલ્લશાળામાં મરાયો છે !" માતૃવાત્સલ્ય પુરૂષ-વાત્સલ્ય કરતાં વધારે શ્રી દેવજીભાઈએ પિતાની પુત્રીને માતૃવાત્સલ્યને અનુભવ દાખવતાં કહ્યું : “હું બાળાઓને ખૂબ સાચવું છું. છતાં એક દિવસે મારી નાની દીકરીએ કહ્યું કે “બાપા આપણાં કરતાં પડોશીની “મા” ગરીબ છે છતાં એના બાળકો “મા” કહે છે. એ કેવું રૂડું લાગે છે? તમે અમને સારી પેઠે રાખે છે પણ “મા” જેવું આનંદમય બીજુ નથી લાગતું !" શ્રી પુંજાભાઈએ હાજર જવાબ આપ્યો : “એટલા માટે તે બા–પા” કહેવાય છે. મતલબ કે માતા કરતાં બાપાનું વાત્સલ્ય પા ભાગનું જ હોય છે.” પછી સ્ત્રી અને પુરૂષ અંગે ચર્ચા ચાલીપુરૂષમાં પણ વિશિષ્ટ ગુણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Frust
SR No.036434
Book TitleDharmanubandhi Vishva Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Mataliya
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size242 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy