________________ માટલિયાએ જવાબ આપતાં કહ્યું : “ફળે બીજાને નાશ કર્યો કે ફળ પાકી જતાં બીજે ફળને નાશ કર્યો. આમાં વાત્સલ્ય ગણાતું હોય તો ઉપરની વાતમાં શા માટે ન ગણાવું જોઈએ. પૂંજાભાઈએ કહ્યું : મળીને વ્યવસ્થા માટે જાળાંઝાંખરાં સાફ તે કરવાં જ પડે ને ! ટુંકમાં સમાજનાં મૂલ્યો માટે, અંગત હેતુથી. નહીં, તેમ રાગદ્વેષ રાખ્યા વગર, સમાજની કક્ષા પ્રમાણે સશસ્ત્ર સામને કરવો પડે તોય “વિશ્વ વાત્સલ્ય અને બાધા નહીં પહોંચે ! એટલું ખરું કે એ અરાગ અને અષની અસર તત્કાળ નહીં તો બીજે જન્મે પણ જેને માર્યો હોય એને પણ પહોંચી વળવી જોઈએ. એ રીતે જોતાં રાવણ અને વાલી બનેને રામ ઉપર પ્રીતિ અંતકાળે થાય જ છે, તેમ કંસને થતી જણાતી નથી. જો કે કંસ તે જાણી જોઈને આક્રમણ કરવા જતાં જ મલ્લશાળામાં મરાયો છે !" માતૃવાત્સલ્ય પુરૂષ-વાત્સલ્ય કરતાં વધારે શ્રી દેવજીભાઈએ પિતાની પુત્રીને માતૃવાત્સલ્યને અનુભવ દાખવતાં કહ્યું : “હું બાળાઓને ખૂબ સાચવું છું. છતાં એક દિવસે મારી નાની દીકરીએ કહ્યું કે “બાપા આપણાં કરતાં પડોશીની “મા” ગરીબ છે છતાં એના બાળકો “મા” કહે છે. એ કેવું રૂડું લાગે છે? તમે અમને સારી પેઠે રાખે છે પણ “મા” જેવું આનંદમય બીજુ નથી લાગતું !" શ્રી પુંજાભાઈએ હાજર જવાબ આપ્યો : “એટલા માટે તે બા–પા” કહેવાય છે. મતલબ કે માતા કરતાં બાપાનું વાત્સલ્ય પા ભાગનું જ હોય છે.” પછી સ્ત્રી અને પુરૂષ અંગે ચર્ચા ચાલીપુરૂષમાં પણ વિશિષ્ટ ગુણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Frust