________________ Co. શ્રી ગોડીજી જેન દશર શ્રી 1િcઝરાવલ , ઇ-8. લીએ. તે વખતે એક શાસ્ત્રી ગુલાલવાડીમાં રહેતા. તેઓ દવાના કેટલાક ડબ્બાઓ મોકલતા. તેનો ઉપયોગ કરવો. આમ મેં બે કાય ગામના વિશ્વાસે શરૂ કર્યા. આ અગાઉ પ્રજા પરિષદમાં, જેનાં નેતા બળવંતરાય મહેતા હતા, અને મુરબ્બી શ્રી નાનાભાઈની સંસ્થા ગ્રામ દક્ષિણા મૂર્તિમાં; ' બન્ને સંસ્થાઓ સાથે સંકળાઈને કામ કરવાને મોકો મળ્યો હતો. પણ મને ગામ ઉપર “વાત્સલ્યની દષ્ટિએ વધુ આકર્ષણ હતું. ગામ તરફથી દાણા-ગાળ વ.ની વ્યવસ્થા થઈ ગામને કહ્યું : જેમ જેમ જરૂર પડશે તેમ તેમ લઈશું. બધી વ્યવસ્થા ગામ જ કરે !" આથી ગામને થયું કે આ તે આપણો માણસ છે. દેઢેક માસ બાદ ગામને લાગ્યું કે આ કુટુંબ જે વર્ગમાંથી આવે છે તેને બીજી ચીજો પણ જેશે અને દૂધ ઘી વગેરે માટે રોકડ રકમ આપવી જોઈએ. મેં કહ્યું : “મને વીશ જુવાને રાત્રિશાળા માટે આપ !" ગામે દર જુવાને બે રૂપિયા નક્કી કરી દાણું-ગળ સાથે બીજી ચાલીશ રૂપિયાની વ્યવસ્થા જેડી દીધી.. ગામમાં કામનો ઘાટ બંધાયો. બહેને પણ આવવા લાગ્યાં. તેમની નિરક્ષરતા દૂર કરવા માટે તેમને ખબર ન પડે તે રીતે રાસડાથી કાર્ય શરૂ કર્યું. એમાં તેમને ગમે તેવી ઢાળો ગોઠવતો ગયો. પછી તો તેમણે સામેથી અક્ષરજ્ઞાનની માગણી કરી. રાસડામાં શીલ, સંસ્કાર, બાળઉછેર, ગ્રામ ભક્તિ, બહેનોનું ગૃહ કર્તવ્ય, સમાજ કર્તવ્ય વ. વાત વણી લેવાઈ હતી. તેમાં અક્ષરજ્ઞાન શરૂ થતાં તે વિભાગને પણ વિકસાવવાની તક મળી. આમ ગામ સાથે આનંદ અને ઓતપ્રોતતા વધતાં ચાલ્યાં. ત્યાં એકવાર રાત્રે હું બહાર ગામથી આવતો હતો. તે વખતે બાજુના ગામના કાઠીઓ વગેરે અહીંના લોકોને ખૂબ હેરાન કરતા જણાયા. એમનાં ઢેર ચોરે-વાડે ચરે! કોઈ ખેડૂત ચૂં કે ચાં કરી શકે નહીં. આ વખતે જે ઢેરને જયાં તેમને લઇને ડમ્બે પૂર્યા. પણ પેલો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust