________________ પુત્રવાત્સલ્ય ને વ્યાપક સમાજ વાત્સલ્ય બનાવ્યું શ્રી માટલિયાજીએ પિતાને અનુભવ ટાંતાં કહ્યું : “હું જ્યારે ગામડામાં ગયો ત્યારે મારા પુત્ર ઉપરને સ્નેહ છે તેને વ્યાપ કરવાની ભાવના અને જાગી. સન 1942 માં ભાવનગર જેલમાં હતા ત્યારે એકવાર ભીંતને અઢેલીને ઊભો હતો. તે વખતે દેઢેક મિનિટનું મને દિવાસ્વપ્ન આવ્યું. એમાં મેં ત્રણ દશ્યો જોયાં - (1) નદીનું પૂર ખૂબ આવ્યું. (2) કુભાર અને દાંડી વિનાને કુંભારને ચાકડે જે. (3) બધું જ ચક્કર ચક્કર ફરતું દેખાયું. આ દિવાસ્વપ્નની તીવ્રતા તે વખતે ખૂબ જ રહી અને પંદર દિવસ સુધી એ સ્મણ ખર્યું નહીં. હું તન્મય બની ગયો. એ વખતે જીભ ખાંડ કે મીઠું પારખી શકતી ન હતી. જેલમાંથી નીકળ્યા બાદ પાંચ વર્ષ સુધી હું નાનાભાઈ ભટ્ટ પાસે રહ્યો અને મને જણાયું કે તત્ત્વજ્ઞાન અને ભાવનાએ આકાર લે જોઈએ. તેવામાં પુત્ર-પ્રાપ્તિ થઈ ત્યારે થયું : “માબાપ રશે, કચવાશે અથવા ભાયામાં પરોવાઈ જઈશ એમ માની હું ઘેરથી ભાગે પણ હવે મારા બાળકથી ભાગીને ક્યાં જઈશ !" એટલે આગળ કહ્યું તેમ પુત્રસ્નેહને વ્યાપક કરવાની ઝંખના થઈ અને હું ગામડામાં ગયો. ગામડામાં ગયા પછી “મા માંથી સાત ભાવ તારવ્યા. માના સાત ભાવ તે આ પ્રમાણે છે:-(૧) અમી અથવા સ્નેહનું અમૃત (2) પાસે રહીને સેવા કરવી (3) સુશ્રુષા (4) તદ્દરૂપતા અનુભવવી, (5) શિક્ષણ (6) રક્ષણ (7) વિજ્ઞાનયુત સંસ્કાર. આમાં સર્વ પ્રથમ બાળમંદિરને વિચાર આવ્યો. ગામની શાળામાં પંદર બાળકો આવે ત્યાં બાળમંદિર કઈ રીતે શરૂ થાય? બીજે વિચાર આવ્યું દવાખાનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust