________________ * * 38 કહે ! " રાજાએ આશ્વાસન આપતાં કહ્યું. કે “મહારાજ, મારી ભૂખને પ્રશ્ન હેત છે. મરી ગઈ હેત ! પણ, મારો એકનો એક લાલ એક કોળિયા માટે તરફડે છે. તેનું દુઃખ જોયું ન ગયું અને હૃદય હાથમાં ન રહ્યું એટલે લથડાતા પગે પણ અહીં આપના દ્વારે આવી પહોંચી !" બાઈએ કહ્યું. રાજા રંતિદેવ બોલ્યા : “બાઈ ગભરાઈશ નહીં! હું તે તારીશ્રદ્ધાને દગો આપનાર નથી. લે આ રોટલી અને તારા બાળકનું કાળજું તાજું કર !" અંતરને આશિષ આપતી બાઈ રોટલીને ટુકડે લઈ ને ત્યાંથી જાય છે. પ્રધાન મન મારીને રહી જાય છે અને પાણીનો ધુંટડા પીવા રાજાને કહે છે. રાજા જેવો ઘુંટડે ભરવા જાય કે એક ચંડળ દૂતે પગે દાખલ થાય છે ! રડતો રડતો મહારાજના ચરણોમાં નમી પડે છે. મહારાજ પૂછે છે : “ભાઈ તને શેનું દુઃખ છે? તું શા માટે રડે છે ?" ચંડાળ કહે છે: “મારું એકનું એક સાથીદાર કુતરૂં આજ સુધી મારા સુખદુઃખમાં સાથે રહ્યું. આજે ચાર દિવસથી એક ટીપું પાણી તેના ગળા નીચે ગયું નથી. તે તરફડતું–તરસતું મારી ઝૂંપડી બહાર પડ્યું છે. તેનું દુઃખ ન જોયું ગયું એટલે હું આપની પાસે , દોડી આવ્યો !" - રંતિદેવ કરૂણાપૂર્ણ આંખોથી કહે છે: “લે ભાઈ, આ પાણીને પ્યાલો ! તારા સાથીને પાઈને તેને સંતોષ આપ !" આવી હતી રંતિદેવની વિશ્વવાત્સલ્યતા ! તેમણે પ્રાણી–માત્ર સાથે આમીયતા સાધી વિશ્વનું દુઃખ પોતાનું માની લીધું હતું. તેમના અંતરમાંથી એ જ નાદ ગૂંજતો હતો :- કામ કર્યું, 7 સત્તનાપુનર્મામ. પશે : તાત્તાનાં પ્રજાનાશનમ્ | P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak*Trust