________________ 7 રહી છે. પ્રજા માટે આપ કેટલી બધી ચિંતા રાખી બધું કરી છૂટયા. રાજ્યભંડાર ખુલ્લો મૂકી દીધો, મહેલની બધી વસ્તુઓ વેચી નાખી, એટલું જ નહીં ભૂખ્યાને અન્નજળ મળે તે માટે જાતે ઉપવાસ પણ કર્યા હવે કોઈ ઉપાય બાકી રહ્યો નથી. આપે બન્યું તે કર્યું. હવે તે પારણું કરે !" ? એટલામાં મહેલની બહાર પ્રજાજનોએ પિકાર કર્યો : જ્ય થાવ મહારાજા રતિદેવને ! મહારાજના ઉપવાસનો અંત જલદી આવો ! લાખો મરે પણ લાખના પાલનહાર ન મરે!” તે સાંભળી મુખ્ય પ્રધાને કહ્યું : “મહારાજ ! આપે પ્રજાનો પિકાર સાંભળ્યો ! પ્રજાના આ પોકારને પ્રજાવત્સલ રાજા શી રીતે અવગણી શકે ! હવે તો આપે પારણું કરવું જ રહ્યું. આપ પ્રજાને કેળિયો ઝૂંટવીને તે અન્ન લેતા નથી ! આ તો તમારી વહાલી પ્રજાની આજીજી છે. તેને કઈ રીતે અવગણું શકશો !" ત્યારે રાજાએ કહ્યું : “ઠીક પ્રધાનજી ! જ્યારે સહુને આટલો આગ્રહ છે તે હું મારી પ્રજાને સામાન્ય માણસ મેળવી શકે એટલું અન્ન અને પાણી લઈશ ! પ્રધાને કહ્યું : “આપે મહા કૃપા કરી મહારાજ ! આ બટકુ રટલ અને થોડું પાણી આપના પારણા માટે હાજર છે !" મહારાજે પૂજતે હાથે રોટલીને ટુકડે તેડવા જાય છે કે લથડિયાં ખાતી એક બાઈ ત્યાં આવે છે. બાઈને પાછી ફરવા પ્રધાન ઈશારે કરે છે પણ મહારાજ તેને અટકાવીને પૂછે છે: “બેલ ! બાઈ તારે શું * કહેવું છે?” . બાઈ બેલી : “મહારાજ! મારી ભૂલ થઈ કે આજે આપ જેવા પ્રજાવત્સલ રાજા પારણું કરે અને હું આવી !" “બાઈ! તું ગભરા નહીં! જે કાંઈ કહેવું હોય તે સુખેથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust