________________ 33 - વ્યક્તિ પોતે કરી શકે પણ વિશ્વાત્સલ્ય-સાધનાની પ્રેરણા આખા સમાજને આપવા માટે તે સાધુજીવન જ સફળ સાધન છે. ગૃહસ્થ જીવનમાં વિધવાત્સલ્યની પ્રેરણા આખા સમાજને આપવી એ લગભગ અશકય જેવું છે. કદાચ ગૃહસ્થ સંયમી બને તે પણ વિશ્વ વાત્સલ્યની પ્રેરણા જગાડવા માટે સાધુઓની સંયમ મર્યાદાજ પ્રેરક બની શકે છે. ઉત્તરાયન સૂત્રમાં બતાવ્યું છે : संति एगेहि भिक्खुहि, गारत्या संजमुत्तरा। गार त्थेवि सम्बेहिं 'साहवो संजमुत्तरा॥ . કેઈક સાધુ કરતાં ગૃહસ્થ સંયમમાં ઉત્તમ હોય છે પણ બધા ગૃહસ્થો કરતાં તો સાધુઓ જ સંયમમાં ઉત્તમ હોય છે. વિશ્વવાત્સલ્યની સાધનાની પ્રેરણા આપવા માટે ઉત્કૃષ્ટ પ્રકારને સંયમ હે જરૂરી છે અને તે કેવળ સાધુજીવનમાં જ હોઈ શકે છે. જ્યારે ગૃહસ્થાશ્રમમાં કુટુંબ-મોહ વગેરે દેષો હોઈને; તેમની વાત્સલ્યની મર્યાદા કેવળ સમાજ વાત્સલ્ય સુધી રાખી છે. તે છતાં જે ગૃહસ્થો સંયમની ભૂમિકામાં આગળ વધ્યા હોય છે, જેમણે ત્રસજીવોની નિરપરાધી હિંસાનો ત્યાગ કર્યો છે અને સાપરાધી ત્રસ જીવ હિંસામાં વિવેક બતાવ્યો છે અને સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોની પણ મર્યાદા કરી છે તેમને શ્રમણોપાસક કહેવામાં આવ્યા છે. તેઓ વિધવાત્સલ્યની સાધનામાં મદદગાર હોય છે; તેને અનુસરનાર હોય છે. આજે કેટલાક જૈન ગૃહસ્થો પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના એકેદ્રિય ની મર્યાદા કરે છે પણ તેઓ સમાજહિત વિરૂદ્ધ કામ-ધંધો કરતા હોય છે. આવા લોકોનું એકેદ્રિય જીવોની મર્યાદાવાળું વિશ્વ વાત્સલ્ય વિકૃતિનું સૂચક છે કારણ કે તેમણે સમાજવાત્સલ્યની સાધના કરી નથી અથવા છોડી દીધી છે. સમાજ-વાત્સલ્યની પૂર્ણતા પછી જ વિધવાત્સલ્યની સાધના સફળ થઈ શકે છે. મહાત્મા ગાંધીજીને વિધવાત્સલ્યની સાધનાની પ્રેરણા એક જૈન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust