________________ - 32 જીવને સચિત્ત આહાર પણ ન લઈ શકે ! કેઇને કદિ કલ્પના પણ નહીં અને અહાર આપે નહીં ! પ્રભુ નિર્દોષ આહાર મેળવવા તપ કરીને ફરી રહ્યા છે એમ કોઇના મનમાં થાઈ જ નહીં! અંતે, હસ્તિનાપુરના રાજા શ્રેયાંસકુમારના મન ઉપર આ અવ્યક્ત દેલનને ઊંડે પડ પડ્યો. તેને પહેરાવવાની ઈચ્છા થઈ. તે વખતે પાસે ઇક્ષુ-(શેરડી) રસના ઘડા હતા. તે અચિત્ત અને કલ્પનીય આહાર હતો, તેણે તે વહેરાવવાની ભાવના કરી અને ભગવાન ઋષભદેવે શેરડીના રસથી વર્ષીતપનાં પારણું ક્ય. આ રીતે સંસ્કૃતિના આદિકાળમાં વિશ્વ વાત્સલ્યનું ખેડાણ થયું. બીજી બાજુ માતા મરૂદેવીને ભગવાન ઋષભદેવે દીક્ષા લીધી ત્યારથી કુટુંબ–વાત્સલ્યના કારણે ચિંતા થતી કે “મારો ઋષભ કયાં રહેતો હશે? શું ખાતો હશે? ક્યાં સૂતા હશે ! એ ચિંતામાં તેમના બાર માસ નીકળી ગયા. ખાવા-પીવાનું ભાવે નહીં, ઉંધ રાત્રે આવે - નહીં. એકવાર માતા મરૂદેવીએ સાંભળ્યું કે ભગવાન ઋષભદેવ અયોધ્યામાં આવ્યા છે. ત્યારે માના વાત્સલ્ય પ્રેરાઈને તેઓ પ્રભુને જોવા હાથી ઉપર નીકળ્યા. ત્યાં જઈને તેમણે જોયું કે એક મોટી પરિષદ ભરાઈ છે. તેમાં સ્ત્રી-પુરૂષો, દેવીદેવો જ નહીં, પશુપંખીઓ પણ બેઠાં છે. આ જોઈને માતા વિચાર કરે છે : “અરે હું તો ઋષભની ચિંતા કરું છું પણ એ તો જગતના પ્રાણી માત્રની ચિંતા કરે છે. એ પ્રાણીઓ પ્રતિ કેટલો વહાલ રેડી રહ્યો છે! એને તો કોઈ વસ્તુની ચિંતા લાગતી જ નથી. તે પિતાની મસ્તીમાં છે. મારે પણ સીમિત કુટુંબ–વાત્સલ્ય મૂકીને વિશ્વપ્રતિ વાત્સલ્ય રેડવું જોઈએ.” આમ ભરૂદેવી માતાનું વાત્સલ્ય જે કુટુંબ સુધી સીમિત હતું તે અસીમ વિશ્વપ્રતિ વહેવા માંડે છે. ભગવાન ઋષભદેવથી તેમને વિશ્વવાત્સલ્યની પ્રેરણા મળે છે. અને તેમને ત્યાં જ પૂર્ણ આત્મજ્ઞાન થઈ જાય છે. . તા. સમાજવાત્સલ્યથી વધીને વિશ્વાત્સલ્યની સાધના ગૃહસ્થ જીવનમાં Jun Gun Aaradhak Trust . P.P. Ac. Gunratnasuri M.S. !