________________ - 406 ગોરાસુ શુદ્ધિપયોગ સામાજિક પ્રશ્ન છે. સાળંગપુર શુદ્ધિપ્રયોગ આર્થિક અને ધાર્મિક અને પ્રકારને હતે. એ પ્રશ્નોને જે મહત્વ અપાયું તે બરાબર હતું. ટુંકમાં દરેક પ્રશ્નને તેના ક્ષેત્ર અને સ્વરૂપ પ્રમાણે મહત્વ અપાવું જોઈએ. બને ત્યાં સુધી જાહેરાત ઓછી કરવી; વ્યકિતગત પ્રશ્નને મહત્વ ન આપવું. શુદ્ધિપ્રયોગ શબ્દ નો છે એટલે તરત ને તરત ગાંધી-વિચાર વાળાઓ કે નવાઓને તે ગળે ન પણ ઉતરે અને સ્વરાજ્ય પછી સત્યાગ્રહનું મૂલ્યાંકન ઓછું થતાં આની પણ કિંમત ઓછી અંકાય એવો સંભવ પ્રારંભમાં છે. એટલે બીજી એ વાત ધ્યાનમાં રાખવાની જરૂર છે કે ધીરજ અને ખંતથી ચાલવાનું છે અને ઉતાવળ કરવાની નથી. તેથી ધીરે ધીરે આપોઆપ તેનું મહત્વ સમજાશે. કેટલીકવાર ઉપવાસની અતિશયતાના કારણે સામો પક્ષ ભયમાં મૂકાઈ જાય છે, તેના ઉપર ભારે તીવ્ર દબાણ આવે છે. એના કારણે કેટલીકવાર એને ત્રાગું પણ સમજી લેવાય છે. એટલા માટે વિનોબાજી આ અહિંસક શસ્ત્રને દુરુપયોગ ન થાય તે માટે સર્વ પ્રથમ તે ઉપવાસ કરવાની જ ના પાડે છે. પછી યોગ્ય વ્યકિત હેય તે માત્ર એકાદ ઉપવાસ કરવાનું કહે છે. તેમને ભય સાચે છે અને ઉપવાસને દુરૂપયોગ થવાની ભીતિ માસ્તર તારાસિંહના ઉપવાસોએ તાજેતરમાં પુષ્ટ કરી છે.' શુદ્ધિપ્રયોગમાં ત્રીજી એ સાવધાની રાખવાની છે કે તેને વ્યાપક કરવામાં મોટું જોખમ છે. જ્યાં વ્યકિતગત સંબધ અતિ પ્રેમળ હોય, ત્યાં અસહકાર કે બહિષ્કાર વ્યકિતગત હોવો જોઈએ—સામાજિક નહીં. બને ત્યાં લગી આની સાથે બોલવું કે આની સાથે ન બોલવું; આનું ખાવું કે આનું ન ખાવું આનું પાણી પીવું કે આનું ન પીવું એવી P.P. Ac. Gunratnasuri Jun Gun Aaradhak Trust